________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જયન્ત છે. ઠાકરે
પરંતુ કેટલાક તત્ત્વચિન્તકેને કર્મકાંડની આ વિગતે જાળ જેવી અને “દર્શન'ને જે મૂળ હેતુ “મેક્ષ' હા, તેને પ્રતિકુળ લાગી. તેમના આત્માને બ્રહ્મજ્ઞાનની તરસ લાગી હતી. આથી આ ચિન્તકાએ વેદના જ્ઞાનકાંડ એવાં ઉપનિષદને આશ્રય લઈને “બ્રહ્મમીમાંસા' કરી. ઉપનિષદ વૈદિક વાત્મયના અનુભાગમાં આવતાં હોઈ અને તેનું હાર્દ પ્રકટ કરતાં હોવાથી “વેદાન્ત' (વેદ અખ્ત) નામથી ઓળખાય છે. આથી બ્રહ્મમીમાંસા કરતું આ દર્શન પણ “વેદાન્ત’ દર્શન નામથી ખ્યાતિ પામ્યું.
અહીં એક વાત ખાસ નોંધવાની છે. ઉપર દર્શાવેલી દર્શનની સંકલના ઐતિહાસિક નથી, પરંતુ તે દર્શને કેવી રીતે ઉદભવ્યાં હશે તે સમજવાના પ્રયત્નમાંથી નિષ્પન્ન થયેલી છે. ઐતિહાસિક હકીકત તે એ છે કે આ બધાં ચિન્તને જુદા જુદા ઋષિમુનિઓના મનમાં સમાન્તરે જ પ્રગતિ કરી રહ્યાં હતાં. તેમનું સાહિત્ય તે ચિત્તનવિકાસ ખૂબ થયા પછી જ રચાયું. જે એમ ન હોય. તો સાહિત્યમાં કાળક્રમે પ્રથમ આવતા સુત્રગથે આટલા વિગતપૂર્ણ અને ચિન્તને સમૃદ્ધ કેવી રીતે હોઈ શકે? તે પછીના ગ્રંથકારોએ પિતાની સૂઝ અનુસાર મૂળ ચિન્તન સમજાવતાં નવા વિચાર મૂકયા અને એ રીતે દરેક દર્શનમાં પ્રગતિ ચાલતી રહી
૧૩ વેદાન્તની શાખાઓ :
આ છઠ્ઠા દર્શન “વેદાન્ત' કે “ ઉત્તરમીમાંસા' કે “બ્રહ્મમીમાંસા ની મુખ્ય પાંચ શાખા ઓ વિકસી છે, જેમનાં નામ આ પ્રમાણે છેઃ (૧) અદ્વૈત કે કેવલાદંત, (૨) વિશિષ્ટ
ત, (૩) વૈતાદ્વૈત, (૪) દૈત, અને (૫) શુદ્ધાદ્વૈત. અને આદર્શ નમૂન છે “ કાશ્મીરીય શૈવ દર્શન’
વેદાન્ત' દર્શનને અદ્દભુત સૂત્રગ્રન્થ બ્રહ્મસૂત્ર” કે “વેદાન્તસૂત્ર' મહર્ષિ બાદરાયણું વ્યાસે (ઈ. સ. પૂ. છઠ્ઠા શતક પહેલાં ) ર. કદમાં ખૂબ નાને એ આ સૂત્રગ્રન્થ જગતને તત્વજ્ઞાનને શ્રેષ્ઠ ગ્રન્થ બની રહ્યો. પરંતુ આટલા સંક્ષેપમાં રજૂ થયેલ વસ્તુસંકલન તથા તેને વાસ્તવિક અર્થ સમજવાં મુકેલ હતાં. આથી તે સમજાવવા માટે પછીના આચાર્યોએ “ભાળ્યો? રચ્યાં, જેમાં પિતાની સૂઝ અનુસાર જુદા જુદા સિદ્ધાન્ત દર્શાવ્યા અને આ ભાષ્યોના સિદ્ધાતે પ્રમાણે જ ઉપર દર્શાવી તે વેદાન્તદર્શનની શાખાઓ વિકસી.
“બ્રહ્મસત્રની રચના પછી કેટલાં યે શતકો બાદ ઇ. સ. ના આઠમા શતકમાં મહાન આચાર્ય શંકરે (૭૮૮-૮૨) તેના ઉપર “ શારીરક ભાષ્ય' નામનું પ્રથમ ભાષ્ય રચ્યું. બ્રહ્મ એ જ એક સત્ય તત્વ છે, જગતનું વાસ્તવિક અસ્તિત્વ નથી અને જીવ એ તે બ્રહ્મનું જ રૂપ છે, તેથી જ નથી એવું અદ્દભુત પ્રતિપાદન આ ભાષ્યમાં કરાયું. તેથી તેમની દર્શનશાખા “અદ્વૈતવેદાન્ત દર્શન' તરીકે ખ્યાતિ પામી અને પછીના આચાર્યોએ વિકસાવેલ શાખાઓની તુલનામાં વધારે સ્પષ્ટ કરવા માટે “કેવલાદૈતવેદાન્ત' તરીકે પણ એ દર્શન એળખાયું.
For Private and Personal Use Only