________________
પ્રકરણસંગ્રહ
N
વિવેચન–ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે –૧ કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન, ૨ કેવલદર્શનાવરણીય કર્મનો ક્ષયથી કેવલદર્શન, ૩ દર્શનમોહનીયકર્મના ક્ષયથી ક્ષાયિક સમકિત, ૪. ચારિત્રમેહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર તથા ૫ થી ૯ પાંચ પ્રકારના અંતરાયકમનો ક્ષયથી દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ, ઉપગલબ્ધિ અને વીર્ય લબ્ધિ એ પાંચ ક્ષાયિકલબ્ધિઓ.
એપશમિક ભાવના બે ભેદ: ઉપશમ સમકિત તે અનંતાનુબંધી ચાર કષાય તથા સમકિત મેહની, મિશ્રમેહની, મિથ્યાત્વમોહની આ સાત પ્રકૃતિને રદય એટલે વિપાકેદય અને પ્રદેશદય બંને ન હોય તે ઉપશમ સમકિત, પ્રથમ સમ્યક્ત્વ ઉત્પત્તિકાળે તથા ઉપશમશ્રેણિમાં હોય છે. બીજુ ઉપશમ ચારિત્ર ઉપશમ શ્રેણિમાં ચારિત્રમેહનીયના ઉપશમથી હોય છે.
હવે ક્ષયે પશમ ભાવના ૧૮ ભેદ કહે છે – नाणा चउ अण्णाणा, तिणि य दंसणतिगं च गिहिधम्मो। वेअग सबचारित्तं, दाणाइ य मिस्सगा भावा ॥ ६ ॥
અર્થ:-(Rા જs) જ્ઞાન ચાર, (vrli તિજ ૫) અજ્ઞાન ત્રણ, (ચંતિત ૪) દર્શન ત્રણ, (નિધિઓ) ગૃહસ્થ ધર્મદેશવિરતિ, (વે) વેદક (ક્ષપશમ ) સમકિત, ( સાવલિં ) સર્વવિરતિ ચારિત્ર અને (વાળri ) દાનાદિક પાંચ લબ્ધિઓ-એ મિશ્રભાવના (૧૮) ભેદ જાણવા. (ક્ષયોપશમ ભાવમાં બીજાં નામ મિશ્ર તથા વેદક પણ છે.) ૬.
વિવેચન-કેવલજ્ઞાન સિવાયના બાકીના મતિ-શ્રુત-અવધિ-મન ૫ર્યવ એ ચાર જ્ઞાન તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન–એ સાત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય. ચક્ષુ-અચક્ષુ-અવધિ–એ ત્રણ દર્શન દર્શનાવરણીય કર્મના ક્ષપશમથી થાય. વેદકસમક્તિ દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમથી થાય. દેશવિરતિ ને સર્વવિરતિ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી થાય અને દાનાદિ પાંચ લબ્ધિઓ અંતરાયકર્મના ક્ષપશમથી હોય. એ પ્રમાણે ત્રીજા ભાવના અઢાર ભેદ જાણવા. દાનાદિ પાંચ લબ્ધિઓ બે પ્રકારે હોય છેઃ એક ક્ષાયિકી તે કેવલીને હોય અને બીજી અંતરાય કર્મના ક્ષયોપશમથી થએલી ક્ષાયોપથમિકી તે છન્દ્રસ્થાને હોય.
હવે ચેથા ઔદયિક ભાવના ૨૧ ભેદ કહે છે-- अन्नाणमसिद्धत्ताऽ-संजम लेसा कसाय गइ वेया। मिच्छं तुरिए भवाऽ-भवत्त जियत्त परिणामे ॥ ७॥