________________
શ્રી નિદષત્રિશિકા પ્રકરણ
૨૧ ભાંગવાથી જે આવે તેટલા ઉત્કૃષ્ટ પદે એક એક આકાશપ્રદેશ ઉપર એક જીવના (અસંખ્યાત) પ્રદેશો રહેલા છે. વળી તે જ આકાશપ્રદેશે તે જ નિમેદવ્યાપી બીજા અનંત જીવો રહેલા છે તે દરેકના ઉપરના ભાગાકારથી આવેલ અસંખ્યાત જેટલા અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશ રહેલા છે. એટલે એક નિગદગત જીના એકંદર અસંખ્યાત અનંત પ્રદેશો એકેક આકાશપ્રદેશે રહેલા છે. . ૧૭ |
અસત્કલપનાએ એક પ્રદેશે એક જીવના લાખ પ્રદેશ રહેલ હોવાથી અનંત જીવના અનંત લાખ પ્રદેશ રહેલા છે. એમ સમજવું.
હવે ગેળા સંબંધી પ્રરૂપણા કરે છે – " gવં વાપ, સ િરૂમોનીવાળો
उक्कोसपयमइगया, होति पएसा असंखगुणा ॥ १८ ॥
અર્થ:-(ા ) એ પ્રમાણે દ્રવ્યાર્થપણે-પ્રદેશાર્થપણે નહીં, કારણ કે (હિં ગોળીવા) એક ગોળાના સર્વ જીવો કરતાં (૩ોર ઉત્કૃષ્ટપદમાં (અદાણા) રહેલા (પા ) જીવપ્રદેશ ( ગુ) અસંખ્યાત ગુણ (દતિ) હોય છે.
વિવેચન –એક નિગોદમાં જેટલા જીવે છે, તેથી અસંખ્યાતગુણ તેમના પ્રદેશે ઉત્કૃષ્ટ પદમાં રહેલા છે, કારણ કે એક નિગોદમાં છે અનંતા છે અને ઉત્કૃષ્ટ પદમાં-વિવક્ષિત આકાશપ્રદેશમાં તેમાંના એક એક જીવના અસંખ્યાત પ્રદેશ રહેલા છે; તેથી તે ઉત્કૃષ્ટપદમાં તે નિગદગત સર્વ જીવોના મળી અનંત અસંખ્યાત પ્રદેશો છે, માટે અનંત જી. કરતાં તે પ્રદેશની સંખ્યા અસંખ્યાત ગુણી જાણવી.
તેમજ એક ગોળામાં રહેલા જીવો કરતાં તેના ઉત્કૃષ્ટપદમાં રહેલા જુવપ્રદેશ અસંખ્યાતગુણ જાણવા, કારણ કે એક ગેળામાં અસંખ્યાતી નિગોદ, અને એક નિગોદમાં અનંતા જીવ છે, તેથી એક ગોળામાં અનંત અસંખ્યાત જીવ થયા, અને તે ગોળાના વિવક્ષિત ઉત્કૃષ્ટપદમાં સર્વ નિદિના જીવપ્રદેશે અસંખ્યાત અનંત અસંખ્યાત છે, ઉપર એક નિગદની અપેક્ષાએ એક પ્રદેશમાં અનંત અસંખ્યાત પ્રદેશ કહ્યા, તેવી અસંખ્યાત નિગદ તે ગોળામાં હોવાથી અસંખ્યાત અનંત અસંખ્યાત છવપ્રદેશે એક આકાશપ્રદેશરૂપ તે ઉત્કૃષ્ટપદમાં રહેલા છે, માટે અસંખ્યાતગુણ કહ્યા છે કે ૧૮ ( જે ઉપર કહ્યું તેમાં અસંખ્યગુણ શબ્દથી અસંખ્યગુણ પ્રમાણ કેટä? તે આ ગાથામાં કહે છે: