Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 285
________________ જa૦ર૦૦૦ = * श्री हृदयप्रदीपषट्त्रिंशिका शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः॥१॥ અર્થ –(૧) જે અનુભવ ( અત્તત) ચિત્તમાં રહ્યો સતો (વિજેતપુ) ચેતના રહિત-જડ એવા (રાગ્નિવિષg ) શબ્દાદિક પાંચે વિષયમાં વિષય સંબંધી (વિવાં ) વિવેકની કળાને () દયને વિષે (નવિત) પ્રગટ કરે છે, તથા (શરમાત્) જે અનુભવથકી (માત્તતાન્ય) ભવાંતરમાં રહેલી–થયેલી પણ ( તાનિ) ચેષ્ટાઓ (પ્રાદુર્મવતિ ) પ્રગટ થાય છે, (તમામ) તે આ (અનુમવું ) અનુભવને (માથr:) તું ભજ. વિશેષાર્થ:– શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પચે વિષય પુદગલ સ્વભાવરૂપ હોવાથી જડ છે. તે વિષયમાં સભ્ય પ્રકારે “ આ વિષયો તે હું નથી, અને એનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું તેમનાથી અન્ય છું, તેમના સ્વરૂપથી મારું સ્વરૂપ પણ ન્યારું જ છે. ” એવું વિવેચન જે અનુભવ હૃદયમાં પ્રગટ કરે છે. વળી જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મમાં વિભાવદશાના આધીનપણુએ કરીને કરેલી, મોહજાળમાં ફસાવવાના હેતુ ભૂત વર્તનાઓનો ભાસ થાય છે, તે તારા પોતાના જ આત્મામાં રહેલા અનુભવને હે આત્મા ! તું સેવ. ૧. અહીં પ્રથમ અનુભવની સેવા ગ્રંથકારે બતાવી છે, તે અનુભવ શાસ્ત્રજ્ઞાનથી, તેના મનનથી અને તે જ્ઞાનને ક્રિયામાં મૂકવાથી જ થઈ શકે છે. તેમજ જ્ઞાન, મનન અને ક્રિયા પણ નિશ્ચય અને વ્યવહાર અને નયને આશ્રયીને કરવાથી જ ફળીભૂત થાય છે. કહ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312