Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 298
________________ શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ. ૨૭ દેતો) સુખની પ્રાપ્તિ માટે જ હોય છે; (તથft) તો પણ ( f) કેઈને () દુઃખ (વિનાશે ન તિ) વિનાશ પામતું નથી અને કોઈને (સુર્ય) સુખ (રિથરત્વે) સ્થિરતાને ( અ) પામતું નથી. તેથી આવો પ્રયત્ન કરવા કરતાં નવા કર્મ ન બંધાય અને પૂર્વે બાંધેલા કર્મ ઉદયાદિકથી ભગવાઈને ક્ષીણ થઈ જાય, એવો પ્રયત્ન કરે કે જેથી અવશ્ય દુ:ખનો વિનાશ થાય. બાકી પૂર્વકૃત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ સુખ–દુ:ખ તે ભોગવવાં જ પડે છે, તેથી જે સાચા સુખની અભિલાષા હોય તો સુખનાં કારણે સેવવાં જોઈએ. જેમ બને તેમ કર્મબંધ અલપ થાય તેવા પરિણામમાં વર્તવું જોઈએ. તેમ કરવાથી સુખને અનુભવ થશે. યદિ પૂર્વજન્મકૃત પાપના ઉદયથી દુ:ખ ભોગવવું પડશે તો તે પણ અ૫ રસ આપશે અને અ૯પ કાળમાં સમાપ્તિ પામી જશે. પછી ફરીથી દુઃખ પામવાનો સમય નહીં આવે. આ હhકત અક્ષરશ: હૃદયમાં ઉતારી સાચા સુખના સાચા સાધનો સેવવા તત્પર રહેવું, એ સહુદય મનુષ્યનું કર્તવ્ય છે. તે સિવાય માત્ર સુખની વાંછા જ કરવી તે તો ફાંફા છે. તેથી સાચા સુખની અવિચ્છિન્ન સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૧૬. | વિષયાદિ સુખ અનેક વાર પ્રાપ્ત થયું છે, તેથી તેમાં કાંઈ આશ્ચર્ય નથી, તે કહે છે – यत् कृत्रिमं वैषयिकादिसौख्यं, भ्रमन् भवे को न लभेत मर्त्यः?। सर्वेषु तच्चाधममध्यमेषु, यद् दृश्यते तत्र किमद्भुतं च ॥१७॥ અર્થ – ત્રિમ) કૃત્રિમ એટલે ક્રિયાવડે બનેલું પુષ્પમાળા, ચંદન, સ્ત્રી વિગેરેનું (ર) જે (વૈચાહિયં) પાંચ ઇંદ્રિયોના વિષય સંબંધી સુખ છે, તેને (મ) આ અનાદિ અનંત સંસારમાં (અમર) અનાદિકાળથી ભ્રમણ કરતો (ક) ક (મ ) મનુષ્ય (ા મેસ) ન પામી શકે ? સર્વ પ્રાણી અનાદિ કાળથી ભવ ભ્રમણ કરતો અનંતવાર વૈષયિક સુખને પામ્યા જ છે. (તરા) વળી (ચ) જે સુખ (રy) સર્વે (ધમર્થg ) અધમ અને મધ્યમ મનુષ્યોમાં પણ (દરજો ) દેખાય છે, (તત્ર) તેમાં (જિમદd ૪) શું આશ્ચર્ય છે? વૈષયિક સુખ અધમ અને મધ્યમ વિષે પણ દેખાય છે, તો પછી રાજાદિક ઉત્તમને વિષે દેખાય તેમાં તો કહેવું જ શું? અથૉત્ શબ્દાદિક અનિત્ય સુખની પ્રાપ્તિમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ ધર્મની પ્રાપ્તિમાં જ આશ્ચર્ય છે. વિશેષાર્થ વૈષયિકાદિક કૃત્રિમ સુખ પણ અન્ય જનની દ્રષ્ટિએ જણાય છે, પરંતુ તે સુખવાળો તો અનેક પ્રકારે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર હેવાથી પિતાના આત્માને દુઃખી જ માને છે. પુત્ર, સ્ત્રી વિગેરે પણ અનેક જાતની ચિંતા કરાવનાર હોય છે. વ્યાપારાદિકમાં રોકાયેલું ધન પણ અનેક પ્રકારની ચિંતા

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312