________________
122
શ્રી પ્રભાવક ચરિત્ર
પ્રયોગ સાંભળ કે જેથી કદાપિ દારિદ્રય જ ન આવે, પણ એ પ્રયોગ માંસભક્ષણ અને જીવવધ કરતાં સિદ્ધ ન થાય. માટે જો તું એ બે કામ તજી દે, તો તને તે પ્રયોગ કહી બતાવું.”
ત્યારે ધીવર બોલ્યો – ‘જીવવધથી પાપ થાય છે, એ પણ હું સારી રીતે જાણું છું, પણ તે વિના કુટુંબનો નિર્વાહ ન થાય, એટલે શું કરું ? હે નાથ ! આપના પ્રસાદથી જો પાપ કર્યા વિના થતું હોય, તો પરભવે મને સદ્ગતિ મળે તેથી આપનું વચન મને પ્રમાણ છે. હવે પછી મારા ઘરે કે વંશમાં માંસભક્ષણ નહિ થાય.' એમ તેણે કહેતાં આચાર્યે તેને રત્નનો પ્રયોગ બતાવ્યો અને તેથી તે ધાર્મિક બની ગયો. - હવે વિલાસ નગરમાં પ્રજાપતિ નામે રાજા હતો. ત્યાં શ્રી શ્રમણસિંહ નામે આચાર્ય પધાર્યા. એટલે રાજાએ તેમને બોલાવીને કહ્યું કે – “કંઈક આશ્ચર્ય બતાવો.”
ત્યારે ગુર બોલ્યા – “અહીં અર્કસંક્રાંતિને કોઈ જાણે છે ?'
એટલે રાજાએ સિદ્ધ દૈવજ્ઞ પુરુષોને બોલાવીને કહ્યું કે – “તમે રવિસંક્રાંતિનો સમય અમારી આગળ કહો.” આથી તેમણે ઘડી અને પળની સંખ્યાથી બરાબર જોઈને કહ્યું.
પછી આચાર્ય બોલ્યા – “હે રાજન્ ! સોય સહિત એક પત્થર અમને તથા જયોતિષીને આપો.'
એટલે રાજાએ તે પ્રમાણે કર્યું. પછી સૂરિએ તે સૂક્ષ્મ સમયને જાણીને પત્થરમાં સોય નાખી દીધી, અને જણાવ્યું કે – “હે મૌર્તિક ! સંક્રાંતિ વખતે આ સોયને ખેંચી લેજે, કે જેથી બધું જળમય થઈ જાય.'
એમ સાંભળતાં જયોતિષીએ કહ્યું – મારા જ્ઞાનમાં આવી અદૂભુત શક્તિ નથી પછી આચાર્યનું તે વિજ્ઞાન સાક્ષાત્ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. - ત્યાર પછી એક વખતે રાજાએ વૃષ્ટિના સંબંધમાં આચાર્યને પ્રશ્ન કર્યો ત્યારે ગુર બોલ્યા – ‘વિચારીને કહીશું', એમ જણાવીને તે પોતાના ઉપાશ્રયમાં આવ્યા, અને તેમણે પોતાના એક દેવેન્દ્ર નામના શિષ્યને રાજા પાસે મોકલતાં સૂચના કરી કે – “તારે રાજા આગળ કંઈક વિપરીત બોલવું, કે જેથી તેના મનમાં અનાદર ઉત્પન્ન થાય' એમ તે પ્રાજ્ઞ શિષ્યને શિક્ષા આપીને રાજા પાસે મોકલ્યો એટલે તેણે આવીને રાજાને જણાવ્યું કે – “આજથી પાંચમે દિવસે ઉત્તર દિશામાં વૃષ્ટિ થશે.” તે દિવસે વૃષ્ટિ પણ પૂર્વ દિશામાં થઈ એમ દિશાના વિપરીતપણાને લીધે રાજાનો કંઈક મંદ આદર થઈ ગયો. કર્મબંધના નિષેધને માટે એ પ્રમાણે તેમને ઇરાદા પૂર્વક કરવું પડ્યું કારણ કે વારંવાર રાજકાર્યોનું કથન એ પાપના કારણ રૂપ છે. પછી નિમિત્ત ગ્રંથમાં નિષ્ણાત એવા આચાર્યો કેટલાક કાળ પછી માનખેટ નગરમાં આવ્યા, અને કળાના વશથી તે રાજાના જાણવામાં આવ્યા.
હવે વિદ્યાપ્રાભૃતથી સંપૂર્ણ એવા શ્રી આર્યખપુટાચાર્યનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે કે જે જૈનેન્દ્ર મતને ઉલ્લાસ પમાડનાર છે.
વિંધ્યાચલની ભૂમિથી પ્રગટ થયેલ અને લાટદેશના લલાટ સમાન એવી રેવા નદીથી પવિત્ર થયેલ ભૃગુકચ્છ (ભરૂચ) નામે નગર છે, કે જ્યાં ભવસાગરમાં યાનપાત્ર સમાન શ્રીમુનિસુવ્રત સ્વામી, ત્રિભુવનનું પાતકના
૧ આ સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે – તેમણે ધીવરને સિંહયોગ શીખવ્યો એટલે તેણે તે અજમાવ્યો, જેથી સિંહે તેનું ભક્ષણ કર્યું. કારણ કે અલ્પ દોષથી બહુ પુણ્ય શા માટે ઉપાર્જન ન કરવું ?