________________
૩૮ અર્થ - (જેમને ઇન્દ્રાદિકે) સ્તવ્યા છે, વાંધા છે, પૂજ્યા છે અને જેઓ લોકને વિષે ઉત્તમ સિદ્ધ (ભગવાન) થયા છે, તેઓ (મને) આરોગ્ય, સમ્યગુદર્શનનો લાભ અને પ્રધાન ઉત્તમ સમાધિ આપો ! ૬ દીધું. તેમનું પન્નર ધનુષ્ય શરીરમાન અને દશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન નીલકમળનું જાણવું.
શ્રી અરિષ્ટનેમિ-પ્રભુનો શૌરીપુરનગરમાં જન્મ હતો. તેમના પિતા સમુદ્રવિજય રાજા અને શિવાદેવી રાણી માતા હતાં. પ્રભુ ગર્ભે આવ્યા પછી માતાએ સ્વપ્રમાં અરિષ્ટ એટલે કાળા રત્નની રેલી દીઠી તથા આકાશમાં ચક્ર ઉછળતું દીઠું, એવો ગર્ભનો પ્રભાવ જાણી અરિષ્ટનેમિ નામ દીધું. બીજું નામ શ્રી નેમિનાથ. તેમનું દશ ધનુષ્ય શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય. શ્યામ વર્ણ અને લાંછન શંખનું જાણવું.
શ્રી પાર્શ્વનાથસ્વામી - વારાણસીનગરીમાં જન્મ હતો. તેમના પિતા અશ્વસેન રાજા અને વામા રાણી માતા હતાં. વળી ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસે સર્પ જતો દીઠો. તે સર્પના જવાના માર્ગની વચમાં રાજાનો હાથ દેખી રાણીએ ઉંચો કીધો. તેથી રાજા ઉડ્યા અને બોલ્યા કે શા માટે હાથ ઉંચો કીધો? રાણીએ સર્પ દીઠાનું કહ્યું, રાજા કહે કે તમે જુઠું બોલો છો? પછી દીપક મંગાવી જોયું તો સર્પ દીઠો. તે વારે વિસ્મય પામી રાજાએ વિચાર્યું, જે મેં ન દીઠો તે રાણીએ દીઠો એ ગર્ભનો પ્રભાવ છે, એમ જાણી શ્રી પાર્શ્વનાથ નામ દીધું. તેમનું નવ હસ્ત પ્રમાણ શરીર અને એકસો વર્ષનું આયુષ્ય જાણવું. નીલ વર્ણ તથા લાંછન સર્પનું જાણવું.
શ્રી વર્ધમાન સ્વામિ - ક્ષત્રિયકુંડનગરીમાં જન્મ હતો. તેમના પિતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી માતા હતાં, ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા સમસ્ત ઋદ્ધિમાં વૃદ્ધિ પામ્યા. ધન-ધાન્યાદિકના