________________
અર્થ - એ પ્રકારે મેં (નામપૂર્વક) આવ્યા. તે ચોવીશે તીર્થકરો તથા બીજા પણ તીર્થકરો, જેઓએ (કર્મરૂપ) રજ તથા મેલને ટાળ્યા છે (તથા જેમણે) જરા અને મરણ અતિશયે કરીને ક્ષય કર્યા છે તથા જે) સામાન્ય કેવળીઓથી શ્રેષ્ઠ છે એવા તે તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ! ૫ ઉપર અત્યંત રાગ થયો. એવો ગર્ભનો મહિમા ઘણી ધર્મના નામ દીધું. તેમનું પીસ્તાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન વજનું જાણવું.
- શ્રી શાન્તિનાથ - ગજપુરનગરમાં જન્મ હતો. તેમના પિતા વિશ્વસેન રાજા અને અચિરારાણી માતા હતાં. વળી તે દેશમાં મરકીનો ઉપદ્રવ ઘણો હતો. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અમૃત છાંટ્યું તેથી મરકીની શાન્તિ થઈ, એવા ગર્ભના પ્રભાવથી શાન્તિનાથ નામ દિીધું તેમનું ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન મૃગનું જાણવું.
શ્રી કુંથુનાથ - હસ્તિનાપુરનગરમાં જન્મ હતો. અને તેમના પિતા સુરરાજા અને શ્રીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાજીએ સ્વપ્રમાં રત્નનો શૂભ પૃથ્વીને વિષે દીઠો તથા શત્રુ હતા તે કુંથુઆની જેવા વાના થયા અથવા કુંથુઆ પ્રમુખ નાના-મોટા જીવોની જયણા દેશમાં પ્રવર્તી તેથી કુંથુનાથ નામ દીધું. તેમનું પાંત્રીશ ધનુષ્યનું શરીર અને પંચાણું હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન છાગ (બોકડા)નું જણવું.
શ્રી અરનાથ - ગજપુરનગરમાં જન્મ હતો, તેમના પિતા સુદર્શન રાજ અને દેવીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી રાણીએ રૂમમાં રત્નમય આરો તથા થુભ દીઠાં. એવો ગર્ભનો મહિમા જણી અરનાથ નામ દીધું. તેમનું ત્રીશ ધનુષ્ય શરીરમાન અને ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન નંદાવર્તનું જાણવું.