Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
धर्माङ्गत्वमिति– - अत एव कालेऽल्पस्यापि लाभार्थत्वादेव दानस्यानुकम्पादानस्य धर्माङ्गत्वं स्फुटीकर्तुं भगवानपि व्रतं गृह्णन् संवत्सरं वसु ददौ । ततश्च महता धर्मावसरेऽनुष्ठितं सर्वस्याप्यवस्थौचित्ययोगेन धर्माङ्गमिति स्पष्टीभवतीति भावः । तदाह – “धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः । अवस्थौचित्यયોગેન સર્વથૈવાનુજમ્પયા ||9||” કૃતિ ||9-3||
યોગ્ય અવસરે અલ્પ પણ કાર્ય લાભ માટે જ થતું હોવાથી અનુકંપાદાન ધર્મનું અંગ છે - એ સ્પષ્ટ કરવા માટે દીક્ષા ગ્રહણ કરતી વખતે ભગવાને પણ એક વર્ષ સુધી સુવર્ણ-મહોરોનું દાન આપ્યું. તેથી ધર્મના અવસરે આદરેલું અનુકંપાદાન બધાને પોતાની અવસ્થાને અનુરૂપ ધર્મનું કારણ બને છે - એ સ્પષ્ટ થાય છે. અષ્ટકપ્રકરણમાં પણ જણાવ્યું છે કે; “બધાને પોતાની અવસ્થા પ્રમાણે અનુકંપાથી કરેલું દાન પણ ધર્મનું કારણ બને છે - એ જણાવવા માટે બુદ્ધિના નિધાન શ્રી તીર્થંક૨૫૨માત્માએ વાર્ષિકદાન આપ્યું હતું.”
આથી સમજી શકાશે કે અનુકંપાદાનનું કેટલું મહત્ત્વ છે. અનુકંપાદાન પણ વિવેકપૂર્વક કરતાં આવડે તો ચોક્કસ જ ધર્મનું અંગ બન્યા વિના નહિ રહે. વર્તમાનમાં સાચું કહીએ તો દાનનું સ્વરૂપ જ બદલાયું છે. અનુકંપાદાન જે આશયથી વિહિત છે તે આશય તો લગભગ લુપ્ત થયો છે. અનુકંપાદાન કરતી વખતે એટલો તો ઉપયોગ રાખવો જ જોઇએ કે એ દાન પૂર્ણકર્મ ન બને; પરંતુ ધર્મનું અંગ બને. સર્વથા વિવેક વિના કરાતું એ દાન પૂર્ણકર્મનું જ કારણ બનશે. ૧-૯૫
नन्वेवं साधोरप्येतदापत्तिरित्यत आह
ઉપર જણાવ્યા મુજબ અનુકંપાદાન ધર્મનું અંગ બનતું હોવાથી પૂ. સાધુભગવંતોએ પણ તે કરવું જોઇએ - એમ માનવાનો પ્રસંગ આવશે તેથી તેના નિવારણ માટે જણાવાય છે—
साधुनाऽपि दशाभेदं प्राप्यैतदनुकम्पया ।
दत्तं ज्ञाताद् भगवतो रङ्कस्येव सुहस्तिना ॥१- १० ॥
साधुनापीति-साधुनापि महाव्रतधारिणापि दशाभेदं प्राप्य पुष्टालम्बनमाश्रित्यैतद्दानमनुकम्पया दत्तं सुहस्तिनेव रङ्कस्य तदाह - श्रूयते चागमे 'आर्यसुहस्त्याचार्यस्य रङ्कदानमिति' । कुत इत्याह- भगवतः श्रीवर्धमानस्वामिनो ज्ञातात् । तदुक्तम् - " ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददद्धीमाननुकम्पाविशेषतः ।।१।।” इति । प्रयोगश्चात्र दशाविशेषे यतेरसंयताय दानमदुष्टम्, अनुकम्पानिमित्तत्वाद्, भगवद्विजन्मदानवदित्याहुः ।।१-१०।।
1
ભગવાન શ્રી વર્ધમાનસ્વામીના દૃષ્ટાંતથી આર્ય શ્રી સુહસ્તિસૂરિ મહારાજાએ રંકને જેમ દાન આપ્યું હતું; તેમ સાધુભગવંતે પણ પુષ્ટ આલંબન સ્વરૂપ દશાવિશેષમાં દાન આપ્યું છે. અર્થાર્ મહાવ્રતધારી એવા સાધુમહાત્માને પણ પૂર્વે જણાવ્યા મુજબ શાસનની ઉન્નતિ સ્વરૂપ પુષ્ટ એક પરિશીલન
૧૫