Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૪૮]. શરીરમાં વિકૃતિ જણાય છે. જૈન માન્યતા પ્રમાણે આ પ્રસંગે જીવના પ્રદેશોનો વિસ્તાર થાય છે. તેને પરિભાષામાં “સમુદ્ધાત' કહેવામાં આવે છે. આવા સમુદ્ધાત અનેક પ્રકારના છે. તેને વિષે વિશેષ નિરૂપણ પ્રજ્ઞાપનાના ૩૬મા પદમાં છે જ. એટલે આ “સમુદઘાત' ની અપેક્ષાએ જીવના નિવાસસ્થાનનો વિચાર પણ જરૂરી બને છે. આમ પ્રસ્તુત પદમાં જીવોના જે નાના પ્રકારો છે તે વિષે સ્વસ્થાન, ઉપપતસ્થાન અને સમુધાતસ્થાન એમ ત્રણ પ્રકારનાં નિવાસસ્થાનનો વિચાર કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત સ્થાનપદમાં હવે પછી જીવોના જે ભેદોનાં સ્થાનોનો વિચાર અને ક્રમ જણાવ્યો છે તે ઉપરથી જણાશે કે પ્રથમ પદમાં છવભેદોમાં નિર્દિષ્ટ “એકેન્દ્રિય” જેવા કેટલાક સામાન્ય ભેદોનો વિચાર નથી કરવામાં આવ્યો, જ્યારે “પંચેન્દ્રિય' જેવા સામાન્ય ભેદોનો વિચાર કરવામાં આવ્યો
છે. વળી, વિશેષભેદ-પ્રભેદોમાંથી પણ બધાનો વિચાર નથી. આમ જીવના ભેદો અને તેના પ્રભેદો વિષે પ્રથમ પદમાં જે માહિતી છે, તે બધા વિષેનાં જુદાં જુદાં સ્થાનોનો વિચાર પ્રસ્તુત પદમાં નથી, પણ તેમાંથી મુખ્ય મુખ્ય છે. પ્રજ્ઞાપનામાં થયેલી આ વિચારણા સાથે અન્યત્ર થયેલી આ વિષયની વિચારણાની તુલના તેના સંક્ષેપ-વિસ્તારનો ઈતિહાસ જાણવામાં ઉપયોગી થશે અને ક્રમે કરી વિષયવિસ્તાર કેમ થતો ગયો તેનું અધ્યયન કરવામાં જ નહિ પણ તે તે ગ્રંથોના સમયનિર્ધારણમાં પણ આ હકીકતો ઉપકારી થવા સંભવ છે. તેથી તેને અહીં આપવી જરૂરી જણાય છે.
પણ છવના આ નિવાસસ્થાનનો વિચાર શા માટે જરૂરી છે એ પણ પ્રશ્ન છે. તેનું સ્પષ્ટીકરણ એ છે કે માત્ર જૈન દર્શનમાં જ આત્માને શરીરપ્રમાણ માન્યો છે; તે વ્યાપક નથી. તેથી સંસારમાં તેની નાના જન્મ વખતે ગતિ થાય છે અને નિયત સ્થાનમાં જ તે શરીર ધારણ કરી શકે છે. તેથી ક્યો જીવ ક્યાં હોય તે વિચારવું પ્રાપ્ત થતું હોઈ તેનું વિવરણ જરૂરી બને છે અને તેથી જૈનધર્મની આત્માના પરિણામ વિષેની જે માન્યતા છે તેની પણ પુષ્ટિ આથી થાય છે. અન્ય દર્શનમાં આત્મા સર્વવ્યાપક મનાયો હોઈ તેમને નિવાસસ્થાનનો વિચાર માત્ર શરીરદષ્ટિએ જ કરવો પ્રાપ્ત છે, પણ જીવ તો સર્વત્ર સંદવ લોકમાં ઉપલબ્ધ છે તેથી જીવના સ્થાનનો વિચાર તેમને અનિવાર્ય નથી.
- બૌદ્ધ દર્શનમાં છવ નથી પણ ચિત્ત તો છે જ અને તે ચિત્તની દષ્ટિએ લોકમાં તેનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે. તે માટેની વ્યવસ્થા જિજ્ઞાસુએ અભિધર્મપિટકમાં જોઈ લેવી.
જીવોના જે ભેદો-પ્રભેદો વિષે “સ્થાન” વિચાર છે તે ત્રણે સ્થાનનો છે. પરંતુ સિદ્ધ વિષે માત્ર સ્વસ્થાનનો જ વિચાર છે. તેનું કારણ એ જણાય છે કે જે ઉપપાતદષ્ટિએ સ્થાન છે તે સિદ્ધોને “ઉપપાત’ ન હોવાથી હોઈ શકે નહિ. સિદ્ધોનો ઉ૫પાત એટલા માટે નથી કે બીજા
જીવોને તે તે જન્મસ્થાન પ્રાપ્ત કરતાં પહેલાં તે તે નામ-ગોત્ર-આયુષ્કર્મનો ઉદય હોય છે તેથી તે નામ ધારણ કરી નવો જન્મ લેવા તે ગતિ કરતા હોય છે. સિદ્ધોને તો કર્મનો અભાવ છે તેથી સિદ્ધરૂપે તેમનો જન્મ થતો નથી, પણ જીવ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તે જ સિદ્ધિ છે. વળી, નવો જન્મ લેતી વખતે અન્ય જીવોની જે ગતિ છે તે આકાશપ્રદેશોનો સ્પર્શ કરીને થતી હોઈ તે તે પ્રદેશોમાં તેનું સ્થાન થયું એમ કહેવાય. પણ સિદ્ધના જીવોની સિદ્ધિમાં અથવા તો મુક્ત જીવોને રહેવાના સ્થાનમાં જે ગતિ થાય છે તે આકાશપ્રદેશોને સ્પર્શીને નથી થતી–એવી જૈન માન્યતા છે, તેથી તે ગતિ અસ્પૃશદ્ગતિ કહેવાય છે. આમ મુક્ત જીવનું ગમન છતાં આકાશ
૨. ભગવતી, શ૦ ૧૪, ઉ૦ ૪; ભગવતીસાર, ૫૦ ૩૧૩; ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અસ્પૃશદગતિવાદ નામે
પ્રકરણ રચ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org