________________
અને પચ્ચકખાણ પરિજ્ઞા વડે અધર્મનો ત્યાગ કરતો ભવથી છૂટે છે – મૂકાય છે. બીજી કોઈપણ રીતે નહિ.
કહ્યું છે કે - જે ભયને જ જાણતો નથી તે કેવી રીતે ભયથી મુકાશે (છૂટશે). બીજા અભયમાં ભયની શંકાવાળા બીજાઓ (અન્યધર્મીઓ) જે તારા ગુણરૂપી ઋધ્ધિ ઉપર ઈર્ષાળુ છે. તે કેવીરીતે ભયથી છૂટશે ? આ ભયની જાણકારી અને ભયનો નાશ જિન વચનથી બને છે અને ભય દૂર થાય છે.
કહ્યું છે કે - હે પ્રભુ ! તમારા વચનો નિશ્ચિત ત્રાસને પમાડે છે અને પરવાદિના સુભાષિતો વિશ્વાસ કરાવે છે. કહ્યું છે કે...... જે પ્રમાણે તમે દુઃખો કહો છો તે પ્રમાણે તે થવાથી બુધ્ધિશાળી નિર્ભય શી રીતે થાય ?
ધનપાલ પંડીતે પણ કહ્યું છે કે, “અનંતકાલ ભવમાં ભમ્યો પણ હે નાથ ! ભય અને દુઃખ થી ડર્યો નહિ ! હવે વર્તમાનમાં આપને જોયા અને ભયનાશી ગયો તેથી મોહ એજ ભય છે તેના પરિવારથી નિઃશંકતાથી ધર્મજ કરવો જોઈએ. જેથી સકલ ભયનો નાશ અને આતંક (ત્રાસ)-વિનાના સુખની પ્રાપ્તિ થાય
ન્માનિ સUત્તિ આત્માના શુભ અશુભરૂપ કર્મો. આત્માના અથવા આત્મસંબંધી ઈતિ અર્થ (૧) ભવાન્તર (પરલોકોમાં પણ સાથે જાય છે. (આવે છે) (૨) નિશ્ચિત ભોગવવાના હોવાથી (૩) આત્માને જ ફલ મલતું હોવાથી (૪) બીજાથી લઈ નહિ શકાતું હોવાથી (૫) આત્માની સાથે જ રહેતું હોવાથી તેને આત્મીયકર્મ કહે છે. દેહ, ધન, સ્વજનાદિ રહેતા નથી કે તેનામાં ઉપર કહેલા પાંચ હેતુઓનું અભાવપણું પ્રસિધ્ધ જ છે. શરીરના વિષે ઉપર કહેલા પાંચ કારણોનું રહિતપણું પ્રસિધ્ધ છે તે આ પ્રમાણે :ચિત્તામાંજ ભસ્મી થવાના કારણે તેમાં તે હેતુ લાગતા નથી તેથી તેને (શરીરને) માટે માંસાદિનું ભક્ષણ વિ. પાપ કરવું તે મૂર્ખાઓનોજ વિલાસમાત્ર જ છે. (કામ છે) કહ્યું છે કે... કૃમિ, ભસ્મ અથવા વિષ્ઠા જેની આવા પ્રકારની સ્થિતિ છે. તે કાયા બીજાને દુઃખ આપવા વડે પોષાય તે ન્યાય કેવો? III/
* * * * * * * * * * * * * * *
* * *
*
,
, , , , , , ,
,
, , , , , , , , ::
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (139) મ.અ.અં.૩, -૧
::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::