Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૪૦.
તત્વાર્થાધિગમસૂત્ર – સંસળિો મુવા રમી
समनस्काऽमनस्काः ॥११॥ સંસાર ત્રાસ થાવરાઃ શરા पृथिव्यम्बुवनस्पतयः स्थावराः ॥१३॥
तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ॥१४॥ અનુવાદ : જીવ સંસારી અને સિદ્ધિ તણા એમ દ્વિ વિધા,
મનયુક્ત ને મનરહિત એમ બે ભેદ સંસારી મતા; સંસારીના વળી ભેદ બે ત્રસ અને સ્થાવર જાણવા, પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ત્રણ સ્થાવર માનવા. (૮) ત્રસ તણા બે ભેદ છે અગ્નિ, પવન એ ગતિ વડે, ત્રસ જાણવા, ગતિ નવ કરે સ્વેચ્છાએ તેથી સ્થાવરે, ઇચ્છા પ્રમાણે ગમન કરતા જીવને ત્રસ જાણીયે, ઢિઢિયાદિ જીવ સર્વે ત્રસ માંહિ પિછાણીયે. (૯) જીવના પ્રકાર :
અર્થ: સંસારી અને મુક્ત એમ જીવના બે ભેદ છે. મનવાળા અને મન વગરના એ સંસારી જીવના ભેદ છે. ત્રસ અને સ્થાવર એ બે ભેદ પણ સંસારી જીવના છે. પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ ત્રણ સ્થાવર જીવના ભેદ છે. અગ્નિ અને પવન એ બે ગતિ=સના ભેદ છે. એ સ્વેચ્છાએ નહિ પરંતુ અન્ય નિમિત્તના કારણે ગતિ કરે છે તેથી તે ગતિત્રસ જીવે છે. ત્રાસ દૂર કરવા સ્વેચ્છાએ ગતિ કરે તે સ્વભાવત્રસ જીવ છે. ઢિઇંદ્રિય, ત્રિઇંદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ સ્વભાવ ત્રસજીવ છે.
ભાવાર્થઃ જીવ અનંત છે. ચેતનશક્તિની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે. જીવના બે ભેદ છે. (૧) સંસારી અને (૨) - મુક્ત. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના બંધ તે સંસાર છે. કર્મનો