Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 301
________________ ૨૫૯ તત્વાર્થાધિગમસૂત્ર કારણ વેદનીય છે. એકથી માંડી ઓગણીશ પરીષહ એક સમયે હોઈ શકે છે. સૂત્ર ૧૮ ચારિત્ર્યનું વર્ણનઃ સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ચારિત્ર્યના પાંચ પ્રકાર છે. સૂત્ર ૧૯ થી ૨૧ તપનું વર્ણન અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયકલેશ અને છ બાહ્યતપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ઉત્સર્ગ અને ધ્યાન એ છ અત્યંતર તપ છે. અત્યંતર તપના ધ્યાન સિવાયના તપના અનુક્રમે નવ, ચાર, દશ, પાંચ અને બે ભેદ છે. સૂત્ર ૨૨ થી ૨૬ પ્રાયશ્ચિત આદિનું વર્ણન: આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, અનશન, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રાયશ્ચિતના ભેદ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને ઉપચાર એ ચાર વિનયના ભેદ છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિષ્ય, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સમશીલ એ દશ વૈયાવૃત્યના ભેદ છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પાંચ સ્વાધ્યાયના ભેદ છે. બાહ્ય અને અત્યંતર એ બે ઉત્સર્ગના ભેદ છે. - સૂત્ર ૨૭ થી ૪૬ ધ્યાનનું વર્ણન ઉત્તમ સંહનનવાળાની એકાગ્રતારૂપ ચિંતાનિરોધ તે ધ્યાન છે. તેની સ્થિતિ અંતઃમુહૂર્તની છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ધ્યાનના ચાર પ્રકાર છે. છેલ્લા બે મોક્ષના હેતુ છે. અપ્રિય વસ્તુ આવી પડતાં તે દૂર કરવાની સતત ચિંતા એ પહેલું, આવી પડતાં દુઃખ દૂર કરવાની સતત ચિંતા એ બીજું, પ્રિય વસ્તુ ન મળતાં તેની પ્રાપ્તિની સતત

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330