Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૬૪
તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૩ ૧. નારક પૃથ્વીનું ટૂંક સ્વરૂપ લખો. ૨. નારક જીવોનું સામાન્ય સ્વરૂપ સમજાવો. ૩. નારકજીવની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ દર્શાવો. ૪. મધ્યલોક શું છે? તેમાં શું શું છે? તેનું ટૂંક વૃત્તાંત આપો.
૫. જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરાર્ધદ્વીપનું સંક્ષિપ્ત વર્ણન કરો.
૬. માનુષોત્તર પર્વત કયાં છે? કેવો છે ? અને તેની શું અસર છે ?
૭. મનુષ્યના પ્રકાર શા કારણે પડે છે ? તેની જીવન પર શી અસર છે ?
૮. તિર્યંચ અને મનુષ્યનાં ઉત્કૃષ્ટ અને જધન્ય આયુ દર્શાવો. ૯. તિર્યંચની વ્યાખ્યા આપો.
,
| અધ્યાય-૪ ૧. દેવનિકાય શું છે? દરેક નિકાયના પ્રભેદ કેટલા છે ? ૨. કલ્પોપન્ન દેવ સુધીના દેવલોકમાંના પરિવારનું વર્ણન કરો.
૩. ભવનપતિ અને વ્યંતરમાં કેટલા ઇન્દ્ર છે? જયોતિષ્કમાં અને કલ્પોપન વૈમાનિક દેવોના કલ્પોમાં કોણ ઇન્દ્રો છે ? કલ્પાતીતમાં કેટલા ઇન્દ્ર છે ?
૪. દેવોના વિષયસુખનું વર્ણન કરો અને કયા કયા દેવને કયા કયા પ્રકારે વિષયસુખ હોય છે તે સમજાવો.