Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 308
________________ ૨૬૬ તત્વાર્થાધિગમસૂત્ર ૫. ઇન્દ્રિયગમ્ય અને ઇધ્યિાતીત સ્કંધનો ભેદ દર્શાવો; તેની ઉત્પત્તિનાં કારણનો નિર્દેશ કરી તે સમજાવો. ૬. સંદશ અને વિસદશ બંધ એટલે શું? સદશ બંધ ક્યારે થાય ? ક્યારે ન થાય ? વિસદશ બંધ ક્યારે થાય ? બંધ થતાં સ્કંધમાં શું પરિણમન થાય છે ? ૭. સત્ અને નિત્યત્વ એ દરેકનું સ્વરૂપ શું છે ? અર્પિત અને અનર્પિત નયનું સંક્ષિપ્ત વર્ણન કરો. ૮. દ્રવ્યનું સ્વરૂપ શું છે ? ગુણ અને પર્યાય એટલે શું? તે બેની દ્રવ્ય પર શી અસર રહે છે ? ૯. ગુણની વ્યાખ્યા શી? ભાવ-પરિણામ શું છે? તે કેટલા પ્રકારના છે? દરેક પ્રકાર કોને કોને લાગુ પડે છે અને શાથી ? અધ્યાય ૧. યોગ અને આસ્રવનું સ્વરૂપ નિરૂપણ કરો. ૨. સકષાય અને અકષાય આસ્રવ વચ્ચે શો ભેદ છે ? સકષાય અને અકષાય આમ્રવના ભેદ પ્રભેદનું વર્ણન કરો. ૩. આર્ટ્સવની તરતમતા યા તીવ્ર મંદતાનાં કારણો શો છે? જીવાધિકરણ અને અજવાધિકરણનું ટૂંકમાં વર્ણન આપો. ૪. સમ્યક્ત, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય પ્રકૃતિના આસ્રવનું સ્વરૂપ દર્શાવો. ૫. વેદનીય, આયુ, નામ અને ગોત્ર પ્રકૃતિના આસ્રવ વર્ણવો.

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330