Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 296
________________ ૨૫૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાવ રાખવો, સંવેગ અને વૈસગ્ય અર્થે જગતસ્વભાવ અને કાયસ્વભાવ ચિંતવવા. સૂત્ર ૮ થી ૧૫ પાંચ વ્રતનું સ્વરૂપ પ્રમત્તયોગ સહિત પ્રાણવધ તે હિંસા; પ્રમત્તયોગપૂર્વક જૂઠ તે અસત્ય; પ્રમત્તયોગ પૂર્વક ચોરી તે અસ્તેય, યુગલની પ્રવૃત્તિને મૈથુન યા અબ્રહ્મ અને પ્રમત્ત યોગપૂર્વક મૂછ તે પરિગ્રહ છે. વ્રતી નિઃશલ્ય હોવો જોઈએ. તે બે પ્રકારના છે : (૧) અગારી અને (૨) અણગાર. અણુવ્રતધારી અગારી છે; મહાવ્રતધારી અણગાર છે. સૂત્ર ૧૬-૧૭ શીલનું વર્ણનઃ દિવિરમણ, દેશવિરમણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, પૌષધોપવાસ, ભોગોપભોગ પરિમાણ અને અતિથિસંવિભાગ એ સાત ઉત્તરગુણ યા શીલ છે. મરણપ્રસંગે સંલેખના કરવી યોગ્ય છે. . સૂત્ર ૧૮ થી ૩૨ અતિચારનું વર્ણનઃ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિસંસ્તવ અને અન્યદૃષ્ટિપ્રશંસા એ પાંચ સમ્યક્ત્વના અતિચાર છે. દરેક વ્રત અને શીલ એ દરેકના પાંચ પાંચ અતિચાર છે. બંધ, વધ, છવિચ્છેદ, અતિભારારોપણ અને અન્નપાન-નિરોધ એ પાંચ પહેલા વ્રતના અતિચાર છે. મિથ્યાઉપદેશ, રહસ્યાભ્યાખ્યાન, કૂટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ બીજા વ્રતના અતિચાર છે. સ્તનપ્રયોગ, તેનાહતઆદાન, વિરુદ્ધ-રાજ્યાતિક્રમ, હીનાધિક માનોન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ પાંચ ત્રીજા વ્રતના અતિચાર છે. પરવિવાહકરણ, ઈત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ ચોથા વ્રતના અતિચાર છે. ક્ષેત્રવાતુ, હિરણ્યસુવર્ણ, ધનધાન્ય, દાસ દાસી અને કુષ્ય એ પાંચના પ્રમાણનો અતિક્રમ

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330