Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 298
________________ ૨૫૬ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૮ - બંધ સ્વરૂપ : સૂત્ર ૧ થી ૩ વ્યાખ્યાઃ મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધહેતુ છે. કષાયના કારણે જીવ કાર્પણ પુદ્ગલ ગ્રહણ કરે છે તે બંધ છે. સૂત્ર ૪ થી ૧૪ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ-રસ અને પ્રદેશ એ બંધના પ્રકાર છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકૃતિ બંધના ભેદ છે. તે દરેકના અનુક્રમે પાંચ, નવ, બે અઠાવીશ, ચાર, બેંતાલીશ, બે અને પાંચ પ્રભેદ છે. મતિ આદિ પાંચ જ્ઞાનાવરણ છે. ચક્ષુદર્શન, અચલુન્દર્શન, અવધિદર્શન, કેવલદર્શન, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા અને ત્યાનધિ એ નવ દર્શનાવરણ છે. શાતા અને અશાતા એ બે વેદનીય છે. મોહનીયના દર્શન અને ચારિત્ર્યમોહ એ બે ભેદ છે. દર્શનમોહના સમ્યકત્વ, મિથ્યાત્વ અને તંદુભય-મિશ્ર એ ત્રણ ભેદ છે. ચારિત્રમોહના કષાયમોહ અને નોકષાયમોહ એ બે ભેદ છે. કષાયમોહના અનંતાનુબંધી ચાર કષાય, અપ્રત્યાખ્યાની ચાર આ કષાય, પ્રત્યાખ્યાની ચાર કષાય અને સંજવલન ચાર કષાય એમ સોળ ભેદ છે. નોકષાય મોહનીયના હાસ્ય, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નવ ભેદ છે. આમ દર્શનમોહના ત્રણ, કષાયમહના સોળ અને નોકષાયમોહના નવ એમ અઠ્ઠાવીશ ભેદ મોહનીયના છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર આયુ છે. ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત,

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330