Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૨૦૫
તવાથવિગમસત્ર અને ધર્મ સાધનાના તેમણે જે માર્ગો બતાવ્યા છે તે હિતકર છે” આદિચિંતન તે ધર્મત્વાખ્યાત ભાવના છે.
પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયામૃતસૂરિજી મ. રચિત વૈરાગ્યશતકમાં આ બાર ભાવનાના સુંદર પદ્યો છે, તે મનનીય છે. નીચે પ્રમાણે છે. ૧. અનિત્યભાવના : (સવૈયા) :
આયુ વાયુ તરંગ સમુંને, સંપત્તિ ક્ષણમાં ક્ષીણ થાય, ઈન્દ્રિયગોચર વિષયો ચંચળ, સંધ્યા રંગ સમાન જણાય; મિત્ર વનિતા સ્વજન સમાગમ, ઈન્દ્રજાલને સ્વપ્ન સમાન,
કઈ વસ્તુ છે સ્થિર આ જગમાં, જેને ઈચ્છે જીવ! સુજાણા ૨. અશરણભાવના :
જે ષટુ ખંડ મહીના જતા, ચૌદ રત્નના સ્વામી જેહ, ને જે સાગરોપમના આયુષ્ય-ધારી સ્વર્ગનિવાસી તેહ; -જૂર કૃતાત મુખે ટળવળતાં, શરણ વિનાના દુઃખી થાય,
તનધન વનિતા સ્વજનસુતાદિક, કોઈ ન એને શરણું થાય ૩. સંસારભાવના :
લોભ દાવાનલ લાગ્યો છે જ્યાં, લાભ જલે જે શાંત ન થાય, મૃગતૃષ્ણા સમ ભોગ પિપાસા - થી જજુગણ જ્યાં અકળાય; એક ચિંતા જ્યાં નાશ ન પામે, ત્યાં તો બીજી ઉભી થાય,
એમ સંસાર સ્વરૂપ વિચારી, કોણ ન વૈરાગ્યે રંગાય છે ૪. એકત્વભાવના :
જ્ઞાન દર્શન ચારિત્ર્ય સ્વરૂપી, એક જ આત્મા છે નિઃસંગ, બાહ્ય ભાવ છે સઘળા એમાં, સ્વાત્મીયતાનો નહી છે રંગ; જન્મ જરા મૃત્યુને કર્મ-ફળોનો ભોગવનારો એક, એમ વિચાર કરતા જાગ્યો, મિરાજને ચિત્ત વિવેક |