Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૯૩
તત્વાર્થાધિગમસૂત્ર આત્મપ્રદેશને વિષે બાંધે છે. શાતાવેદનીય સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુ, શુભનામ અને શુભગોત્ર એ પુણ્યપ્રકૃતિ છે. બાકીની પાપપ્રકૃતિ છે. કર્મસ્વરૂપ નિર્દેશો આઠમો અધ્યાય પૂર્ણ થયો. | ભાવાર્થ : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ દરેક પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટી સાગરોપમની છે. નામ અને ગોત્ર એ દરેક પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમની છે. મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટી સાગરોપમની છે. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. નામ અને ગોત્ર એ દરેકની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. બાકીના એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અંતરાય એ પાંચ પ્રકૃતિની દરેકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. સ્થિતિ ત્રણ પ્રકરની છે. (૧) જઘન્ય, (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપર દર્શાવી છે. તે બંનેની વચ્ચેની સ્થિતિ માધ્યમ છે. આયુષ્ય સિવાય પ્રત્યેક કર્મની ઉપર દર્શાવેલ ઉત્કૃષ્ટ સ્થિતિના સ્વામી મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય એ છ પ્રકૃતિની જઘન્ય સ્થિતિના સ્વામી સૂક્ષ્મ સંપરાય નામના દશમા ગુણ સ્થાનકે વર્તતા જીવ હોય છે. મોહનીયની જઘન્ય સ્થિતિના સ્વામી અનિવૃત્તિ બાદર સંપરાય નામના નવમા ગુણ સ્થાનકે વર્તતા જીવ હોય છે. આયુષ્યની જઘન્ય સ્થિતિ મનુષ્ય અને તિર્યંચમાં હોય છે.
બંધ સમયે તેના કારણરૂપ કાષાયિક પરિણામની તીવ્ર મંદતા