________________ 27. સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પ્રશ્નો જોશો તો બરાબર સમજાશે. આજે એના જે વિપરીત અર્થ કરવામાં આવે છે તે યોગ્ય નથી એવું પણ સમજાશે. આજથી લગભગ પાંચ શતાબ્દી પહેલા ખરતરગચ્છમાં ઉપાધ્યાય શ્રી જયસોમ ગણિવર થઈ ગયા. તેઓ મોગલ શહેનશાહ અકબર અને અકબર બાદશાહના પ્રતિબોધક તપાગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ હીરવિજયસૂરીશ્વરજી મહારાજાના સમકાલીન મનાય છે. તેમને તે સમયે તપાગચ્છનું સમર્થન કરતાં અને ખરતરગચ્છનું ખંડન કરતાં લખાણનાં કેટલાક પાનાંઓ મળી આવેલા. ખરતરગચ્છમાંથી તપાગચ્છમાં ગયેલા એક શ્રાવકે લખેલાં આ પાનાંઓ હોવાનું ઉપા. જયસોમ ગણિવરે નોંધ્યું છે. તે સમયની જૂની ગુજરાતી ભાષામાં બોલ” સ્વરૂપે આ લખાણ થયું હતું. તે સમયના ખરતરગચ્છના આચાર્યશ્રી જિનચન્દ્રસૂરિજીના આદેશથી અને આચાર્ય શ્રી જિનસિંહસૂરિજીના કથનથી ઉપા. શ્રી જયસોમ ગણિવરે ખરતરગચ્છનું ખંડન કરતા તે “બોલો’ સામે ખરતરગચ્છનું સમર્થન કરતાં બોલો’ પ્રશ્નોત્તરરૂપે લખ્યા હતા. પાંચસો વર્ષ પ્રાચીન એ પ્રશ્નોત્તરો વર્તમાનમાં છપાઈ ગયાં છે. જૂની ગુજરાતી ભાષાના એ પ્રશ્નોત્તરોને વર્તમાનની ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવા સાથે શ્રી મોહનલાલજી મહારાજના શ્રી બુદ્ધિસાગર ગણીએ ‘પ્રશ્નોત્તર ચારિશત શતક' નામના પુસ્તકરૂપે વિ. સં. ૨૦૧૨ની સાલમાં પ્રકાશિત કર્યું છે. જ્યારે પેલા શ્રાવકનાં લખેલાં મનાતાં જૂનાં પાનાંઓ હસ્તલિખિત જ્ઞાનભંડારોમાંથી મળી આવતા પૂ. આચાર્ય શ્રી જંબુસૂરીશ્વરજી મ.એ તેનું સંપાદન કરીને “તપા-ખરતરભેદ” એવા સાર્થક નામે પુસ્તકરૂપે પ્રકાશિત કર્યું છે. આ બંને પુસ્તકો આજે જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે. બીજા અનેક વિષયો સાથે તેમાં સૂતકની માન્યતાઓ પણ બે ગચ્છોની જુદી પડે છે તેની ચર્ચા કરતા બે બોલો અને બે પ્રશ્નોત્તરી છે તે આપણે જોઈએ. સૌ પ્રથમ તપા-ખરતરભેદ” ના “બોલ જોઈએ : વોલ - ધ૨મો - રઘર. તીવાર ગાવ્યા પછે પહર 8 | 22, ૩થ દ્દાર૮] बीजा लोक कांधीया कांध दीधी हुवई ते टालई / सामाइ, पोषह, पडिकमणउ,