________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 93 હીનઆક્ષેપો કરનારાઓ પોતાનું બીજું મહાવ્રત જોખમમાં મૂકે છે અને તેરમું અભ્યાખ્યાન' નામનું પાપ બાંધે છે. આ લોકોને પૂછવું જોઈએ કે ‘તમારાથી પામેલા ભક્ત શ્રાવકના ઘરના સ્વાદિષ્ટ આહાર-પાણી વહોરીને લાવો અને વાપરો તો કિંપાકફળ જેવું પરિણામ મળે કે નહિ? દીક્ષા પણ ચાલી જાય કે નહિ? સમ્યકત્વ પણ નાશ પામે કે નહિ? ઉચ્ચ પરિણામ પણ નષ્ટ થાય કે નહિ?' જો લોકોત્તરસ્થાપનાકુલો સ્વરૂપ, પોતાનાથી પામેલા ભક્ત શ્રાવકના ઘરના આહાર- પાણી વહોરવા-વાપરવા છતાં જો ઉપર જણાવ્યા તે દોષ ન લાગતા હોય તો સૂતકમર્યાદામાં નહિ માનનારાં કુલોનાં આહાર-પાણી વિવેકપૂર્વક વહોરવા- વાપરવાથી દોષ શી રીતે લાગે? ગીતાર્થ મહાત્માએ જ લાભાલાભનો વિચાર કરીને કયા કુલોમાં ગોચરી જવું કે ન જવું તેનો નિર્ણય કરવાનો છે. સૂતકના સમયે શ્રાવકોને પણ સુપાત્રદાનથી વંચિત રાખનારા, સુપાત્રદાન ઉપર પ્રતિબંધ મુકનારા અગીતાર્થ છે. સૂતકમાં શ્રાવકોથી સુપાત્રદાનનો લાભ ન લેવાય- એવી માન્યતા જૈનશાસ્ત્રોની નથી. શ્રી નિશીથસૂત્રમાં જણાવેલ દોષો અને પ્રાયશ્ચિત્ત, ઉપર મુજબનો વિવેક રાખ્યા વિના સ્થાપનાકુલોમાં ગોચરી જનાર સાધુને લાગે છે. પરંતુ વિવેક રાખીને સ્થાપનાકુલોમાં ગોચરી જનાર ગીતાર્થ સાધુને કોઈ દોષ કે કોઈ પ્રાયશ્ચિત્ત લાગે નહિ. આ પાઠો રજૂ કરતી વખતે “સૂતકમર્યાદાયે નમઃ” માં જે અપ્રાસંગિક ફેંકાફેંક કરી છે. તેય જરા જોઈ લઈએ. સમજ પડી શ્રેયસ! સૂતક ન પાળવું’ | ‘ન માનવું' તે લોકવિરૂદ્ધ જ છે. આવે છે ને “જયવીયરાય'માં ‘લોગવિરુદ્ધચાઓ’ ‘લોકવિરુદ્ધનો ત્યાગ' અહીં સૂતક ન પાળવું' તે લોકવિરુદ્ધ છે. તેનો ત્યાગ એટલે કે સૂતક ન પાળવાનો ત્યાગ - સૂતક પાળવું - તે લોકવિરુદ્ધનો ત્યાગ થયો. જયવીયરાયના લાંબાલચ વિસ્તાર કરનાર તેમણે લોગવિરુદ્ધચાઓનો આટલો ય વિચાર કર્યો હોત તો ઠીક રહેત.” (પૃ. 12) શ્રેયસ્ ને સમજાવતા પહેલા મુનિશ્રીએ જાતે સમજવાની જરૂર છે. જગતમાં ગમે તેટલા જન્મ થાય કે મરણ થાય : સાધુને એનું કોઈ સૂતક