________________ 99 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ‘સેનપ્રશ્નના પ્રશ્નોત્તરમાં વાંચો : ___ तथा - “जायमयसूअगाईनिच्छूढा" इत्यादि सूतकशब्दः प्रत्येकं सम्बद्ध्यते, जातसूतकं नाम जन्मानन्तरं दशाहानि यावत् मृतसूतकं मृतान्नतरं दश दिवसान् यावत्तत्र यद्वयं तद्विधा - 'लोग' त्ति लौकिकं 'उत्तर' त्ति लोकोत्तरं, लौकिकं द्विधा-इत्वरं यावत्कथिकंच, तत्रेत्वरं यत्सूतकमृतकादि, तथाहि-लोके सूतकादि दश दिवसान् यावद्वर्ण्यत इति, यावत्कथिकं च वरुडछिम्पकचर्मकारडोम्बादि, एतान्यक्षराणि व्यवहारसूत्रवृत्तौ सन्तीत्युक्त्वा सूतकगृहं दशदिवसान् यावत्खरतरास्त्यजन्तः सन्ति, प्रश्नोत्तरग्रन्थे तु दशदिननिर्बन्धो ज्ञातो नास्ति इत्युक्तमस्ति, तत्कथमिति ? प्रश्नोऽत्रोत्तरं - व्यवहारसूत्रवृत्तौ सूतकविषये यदशदिनवर्जनं तद्देशविशेषपरत्वेन, ततो यत्र देशे सूतकविषये यावानवधिस्तावन्ति दिनानि वर्जनीयानि, तेन प्रश्नोत्तरग्रन्थेन सह न कोऽपि વિરોધ તિ / ર૬૦ || અર્થ : આ પ્રશ્નના ઉત્તરમાં પૂ. શ્રી સેન સૂ.મ. કહે છે કે “દશ દિવસની જે વાત કરી છે તે દેશવિશેષે કરીને. એટલે જે દેશમાં દશ દિવસની મર્યાદા હોય તે દેશમાં દશ દિવસ. બાકી જયાં વધારે હોય ત્યાં ચોવી અવધિ તાન્તિ વિનાનિ એટલે જેટલી મર્યાદા તેટલા દિવસ વર્જવા.” એવો અર્થ છે. આવા શબ્દોની સાક્ષીરૂપે શ્રી “વ્યવહાર સૂત્ર” નામનો ગ્રંથ પણ મૂક્યો. પ્રશ્નોત્તરનો પૂરો અર્થ આ પ્રમાણે છે : પ્રશ્ન : “જાય-મયસૂઅગાઇનિછૂઢા” ઇત્યાદિ. સૂતક શબ્દ દરેક સાથે જોડવો. જાતસૂતક-જન્મ પછી દસ દિવસ સુધી. અને મરણસૂતક - મરણ પછી દસ દિવસ સુધી, તેમાં વર્જવાના બે પ્રકાર છે : લૌકિક અને લોકોત્તર. તેમાં લૌકિક બે પ્રકાર છે : ઇવર અને યાવસ્કૃથિક. લોકમાં સૂતકના દસ દિવસ વર્તાય છે - તે ઇવર છે અને યાવત્કથિક એટલે વરુડ, છીંપા, ચામડીઆ, ડોંબ, વગેરે અસ્પૃશ્યજાતિઓ. આ પ્રમાણે શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં છે.” એમ કહી ખરતરો સૂતકનું ઘર દસ દિવસ સુધી વર્જે છે. અને શ્રીહરિપ્રશ્નમાં તો કહ્યું છે કે “દસ દિવસનો આગ્રહ જાણ્યો નથી.” તો આ બાબત કેમ છે? (પં. શ્રી ધનહર્ષગણીનો પ્રશ્ન)