Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj
Author(s): Vijayjaidarshansuri
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 100
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 105 પહેલાં ગોચરી વહોરવા જનારા સાધુને ‘સુવાવડીના શીરા અને લાડવા ખાવાના લાલચુ” તરીકે ચીતર્યા હોત. આ કડવાગચ્છવાળા કે સૂતકના નામે શ્રીજિનપૂજા અને સુપાત્રદાન ઉપર પ્રતિબંધ મૂકનારા આજના તપાગચ્છવાળા : બેમાંથી એકેય સાચા રસ્તે નથી. સૂતક લૌકિક હોવાથી જે દેશમાં જેટલા દિવસનો લોકવ્યવહાર હોય તેટલા દિવસ જ લૌકિક કુલોનો ત્યાગ કરવાનો હોય. શ્રી હરિપ્રશ્ન કે શ્રી સેનપ્રશ્નના સૂતકમાં ગોચરીસંબંધી પ્રશ્નોત્તરોથી જ સ્પષ્ટ થાય છે કે, સૂતકના કાળમાં શ્રાવકોએ સાધુને ગોચરી વહોરાવવામાં કે સાધુએ એ કાલમાં ગોચરી વહોરવામાં કોઈ શાસ્ત્રીય બાધ નથી, પણ વ્યાવહારિક બાધ છે. શ્રી હીરપ્રશ્ન કે શ્રી સેનપ્રશ્નના રચના સમયનાં સામાજિક, ધાર્મિક કે રાજકીય વાતાવરણને ધ્યાનમાં લઈએ તો આ વ્યાવહારિક નિષેધની જરૂર સહેલાઈથી સમજાય તેવી છે. પ્રાચીનશાસ્ત્ર પાઠોની અગાઉ વિચારણા કરી, તેમાંય સૂતકના દોષને તાત્ત્વિક નહિ, પણ વ્યાવહારિક ગણીને લોકોમાં આપણા ધર્મની નિંદા ન થાય તે વિચારને જ મહત્ત્વ અપાયું છે. પ્રાચીન કાળમાં અન્ય ધર્મી ખાસ તો બ્રાહ્મણ વર્ગનાધર્મશાસ્ત્રોનું લોકવ્યવહારમાં ભારે મહત્ત્વ હતું. એ વર્ગને જૈનધર્મ પ્રત્યે એક ખાસ પ્રકારનો દ્વેષભાવ હતો. વિદ્યામાં, વ્યાપારમાં, રાજકારણમાં અને બીજા કોઈ ક્ષેત્રમાં ય જૈનોની ચડતી એ વર્ગને ભારે ઇર્ષ્યાનું કારણ બનતી. આ ઐતિહાસિક સ્થિતિમાં જૈનોની નજીવી વાતોને વિકૃત કરીને સામાન્ય લોકમાનસમાં તેમને ઉતારી પાડવાની વૃત્તિ એ વર્ગમાં જોર કરતી હતી. તે વર્ગની આવી વૃત્તિને ખોટી તક ન મળી જાય એનું આપણા શ્રી સંઘે સતત લક્ષ્ય રાખવું પડતું. અને તેથી જ આવા લોકવ્યવહારના વિધિ-નિષેધો ધ્યાનમાં લેવાતા. એક ઉદાહરણ જોઈએ અશુચિના સ્પર્શ જેવા ખાસ કારણ વિના સાધુ માટે અંડિલભૂમિથી આવીને પગ વગેરે ધોવામાં વધુ પાણી વાપરવાનો નિષેધ છે. છતાં બ્રાહ્મણાદિ - બાહ્ય શૌચને મહત્ત્વ આપનારાજોતા હોય એવા પ્રસંગે વધુ પાણી વાપરીને પગ વગેરે ધોવાની પણ શાસ્ત્રોમાં આજ્ઞા છે. આમાં આપણા શાસ્ત્રકારોએ લોકવ્યવહારને-લોકોમાં આપણા

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131