________________ 104 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ तथा - प्रसूतापत्या स्त्री कटुकमतीनां मासं यावन्न संघट्यति कस्यापि, न करोति रंधनक्रियां, आत्मीयानां तु दिनदशकं यावत् तत्किमिति? प्रश्नोऽत्रोत्तरंप्रसूतापत्या स्त्री संघटनादि दशदिनानि न करोतीति लोकरीतिः, तत्रापि देशविशेषे ન્યૂનધિત્વમપિ | 228 છે. અર્થ: પ્રશ્ન : સંતાનને જન્મ આપનારી કડવામતીની સુવાવડી સ્ત્રી, મહિના સુધી કોઈને પણ અડતી નથી, તેમ જ રાંધવાની ક્રિયા કરતી નથી, આપણામાં તો દશ દિવસ સુધી. આમ કેમ? ‘ઉત્તર : સુવાવડી સ્ત્રી સંઘટ્ટાદિને (અડકવા આદિને) દશ દિવસ સુધી કરતી નથી એ લોકવ્યવહાર છે. દેશવિદેશમાં કોઈક સ્થાને ઓછાવત્તાપણું પણ છે.” तथा-सूतकगृहं साधव आहारार्थं यान्ति नवेति ? प्रश्नोऽत्रोत्तरं - यत्र देशे सूतकगृहे यावद्भिर्वासरैर्ब्राह्मणादयो भिक्षार्थं व्रजति तत्रात्मभिरपि तथा विधेयमिति વૃદ્ધવ્યવહાર: // 202 // પ્રશ્ન : સૂતકવાળા ઘરે સાધુએ વહોરવા જવાય કે નહિ ? (પં. શ્રી વિદ્યાવિજય ગણીનો પ્રશ્ન) ઉત્તર : જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ પછી બ્રાહ્મણ વગેરે ભિક્ષા માટે જાય, તે દેશમાં સાધુઓએ તેટલા દિવસ પછી આહાર માટે જવું. એવો વૃદ્ધપુરુષોનો વ્યવહાર છે. અહીં શ્રી સેનપ્રશ્નના બીજા પ્રશ્નોત્તરમાં લોકવ્યવહાર મુજબ જ ગોચરી જવાની વાત લખી છે. જયારે પહેલા પ્રશ્નોત્તરમાં કડવાગચ્છ અને તપાગચ્છની પ્રસૂતા બહેનો માટેની સમયમર્યાદાનો તફાવત જોવા મળે છે. આમાં પણ દેશવિશેષમાં ઓછા-વધતા દિવસો હોવાની વાત સ્પષ્ટ લખી છે. માટે દશ દિવસનો આગ્રહ પણ હોતો નથી. જે તે દેશનો જેવો રીવાજ, એ ના આધારે જ દિવસો નક્કી થતાં. કડવાગચ્છવાળા જો આજના સૂતકવાળાઓની જેમ જીદ્દી વલણ અપનાવનારા હોત તો તેઓ પણ મહિના પહેલા સૂતકવાળા ઘરનો કોઈ માણસ પૂજા કરવા જાય તો “દેરાસર અને શ્રી જિનપ્રતિમા અભડાવવાનો આક્ષેપ તેઓ ઉપર કરતા હોત અને મહિના