________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 109 વિજ્ઞાન, અજ્ઞાન વધારવાથી વિશેષ કશું કરે તેવું નથી. બીજી વાત”ના જવાબમાં તો જણાવવાનું કે “જે સ્થળે બહેનો બેઠા હોય તે સ્થળે પુરુષે બે ઘડી સુધી બેસવું નહિ આ શાસ્ત્રીય મર્યાદામાં કોઈ વિવાદ જ નથી. અહીં “બહેનો બેઠી માટે અશુચિ થઈ એવું છે જ નહિ. એટલે જગ્યા ધોવાની વાત સાવ અક્કલ વગરની છે. શરીર ઉપર લાગેલી લોહી આદિ અશુચિ ધોવા છતાં સાફ ન થાય-એ વાત તદન આધાર વિનાની છે. અશુચિના સ્પર્શમાં સ્નાનથી શુદ્ધિ થાય-એવું ઘણી જગ્યાએ વિધાન છે. પુદ્ગલનો પ્રભાવ અને અશુચિનો સ્પર્શ : આ બે વચ્ચેનો તફાવત સમજયા વિના લેખક લાંબી લાંબી વાતો કરે છે. ત્રીજી વાત’ના જવાબમાં જણાવવાનું કે “પૂજા કરવા જતા શ્રાવકને રસ્તામાં ચાંડાલ વગેરે અશુદ્ધ માણસોનો સ્પર્શ થઈ જાય તો ફરી સ્નાનથી શુદ્ધ થવાનું હોય છે. પણ જે રસ્તા ઉપરથી ચાંડાલ વગેરે પસાર થયા હોય તે ભૂમિ ઉપર તેની અશુચિના પુદ્ગલો નષ્ટ થતા નથી માટે તે ભૂમિ ઉપર ચાલીને જનારો અશુદ્ધ થઈ જાય-એવું તો કોણ માને ? શ્રી જિનપૂજાનો વિરોધ કરવા માટે આવી વાહિયાત દલીલો કરીને લેખક કઈ ગતિમાં જવા ઇચ્છે છે ? શાસનદેવ તેમને સબદ્ધિ આપે. ‘સેનપ્રશ્ન ના (પ્રશ્ન-૧૧૮) પાઠમાં, દેશાચાર મુજબ સૂતકની દસ દિવસની મર્યાદામાં ઓછા દિવસો પણ હોઈ શકે તેમ સ્પષ્ટ જણાવ્યું છે (ન્યૂનાધિત્વમપિ) પ્રશ્ન 201 અને 290 પણ આ જ ભાવ સ્પષ્ટ કરે છે. છતાં લેખક વારંવાર “જેટલા વધારે દિવસનો વ્યવહાર’ આ વાત પકડી રાખે છે. લેખકના વડિલ સ્વ. સાગરજી મહારાજ પણ, સૂતકવાળાને ઘેર ખાનારપીનાર પણ બીજે ઘરે જાય તો સૂતક પાળવાની જરૂર નહિ હોવાનું સ્પષ્ટ જણાવે છે. છતાં મુનિશ્રી પોતાના એ વડિલની વાતને પણ અવગણીને, સૂતક પાળવાની અને તેય બાર દિવસ સુધીની મર્યાદા ફરમાવી રહ્યા છે. જુઓઃ (સૂ.મ.ન. પૃ. 86) પોતાની માન્યતાને સાચી ઠરાવવા, પોતાના વડિલ, પૂ. શ્રી. સેન સૂ. મ. જેવા પૂર્વાચાર્ય અને શાસ્ત્રોની ઘોર ઉપેક્ષા કરનારા લેખક શાસ્ત્રની અને મહાપુરુષોની આશાતના કરતા અટકે એમ