________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 94 લાગતું જ નથી. અરે, સાધુ કાળધર્મ પામે તોય સાથે રહેલા કે બીજે વિચરતા : કોઈ સાધુને સૂતક ન લાગે. માટે સાધુને સૂતક પાળવાનું ય નથી અને માનવાનું ય નથી. સૂતક માનનારા અને પાળનારાઓ જયારે સૂતકમાં દાન ન આપતા હોય ત્યારે તેવા રીવાજવાળા કુલોમાં સાધુએ ગોચરી જવાનું નથી. આ જ લોકવિરુદ્ધનો ત્યાગ કર્યો કહેવાય. આટલી શાસ્ત્રમર્યાદા સાધુએ પાળવાની છે. લોકવિરુદ્ધના ત્યાગને નામે સાધુને પણ સૂતક લગાડી દેનારા મુનિશ્રી અજ્ઞાન છે. અને એટલે જ એમને શ્રી “જયવીયરાય” સૂત્રની તાત્ત્વિક વિચારણા પણ ‘લાંબાલચ વિસ્તાર કરનારી લાગે છે. આમાં એય બિચારા શું કરે ? તેમની અજ્ઞાનતાનો દોષ છે. લેખકે વધુમાં પૃ. 11 ઉપર અશુદ્ધિના કારણે સૂતક પાળવાની વિચિત્ર વાત કરી છે. સૂતકમાં અશુદ્ધિ માતાને હોય છે એટલે માતાએ સ્પર્શેલા આહાર-પાણી ન કહ્યું- આ વાતમાં કોઈ વિવાદ જ નથી. બધાં આનું પાલન કરે છે. પરંતુ સૂતકના દિવસો હોવાથી તેના ઘરમાં માતાએ ન સ્પર્શેલી રસોઈ પણ અપવિત્ર ગણાય- આ માન્યતાને જૈનશાસ્ત્રોનો કોઇ ટેકો નથી. લૌકિકશાસ્ત્ર પણ એવી માન્યતા ધરાવતું નથી - એ વાત આપણે શ્રી જિનપૂજાના વિષયમાં જોઇ આવ્યા છીએ. શ્રી કલ્પસૂત્ર વગેરેમાં બારમે દિવસે નાત જમાડવામાં કારણ તરીકે તે પહેલા “રસોઈ અશુચિવાળી હોય છે” - તે નથી, પરંતુ માતાને સ્પર્શની મર્યાદા પૂર્ણ થતી હોવાથી નામકરણ વિધિ વખતે માતા હાજર રહી શકે - તે કારણ છે. શ્રી પ્રશમરતિ પ્રકરણ સટીક तस्माल्लोके यद्विरुद्धं जातमृतकसूतके समुहनिराकृतादिगृहेषु भिक्षादिग्रहणभोज्येषु च परिहार्य અર્થ : જન્મ મરણનાં સૂતક સમૂહથી દૂર કરાયેલ ઘરોમાં ભિક્ષા આદિનું ગ્રહણ તથા ભોજયનું ત્યાગ કરવું. કારણ કે તે લોકમાં વિરુદ્ધ છે. શ્રી વિંશતિવિંશિકા ગ્રંથ (શુન્નનીતિધર્મવિંશિT) अन्ने उ लोगधम्मा पहूया देसाइभेयओ हुंति / वारिज्ज सोयसूयगविसया आयारभेएण // 16 // અર્થ : દેશભેદે કરીને બીજા-બીજા લોકધર્મો ઘણા છે. તેમાં) આચારભેદે