Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj
Author(s): Vijayjaidarshansuri
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 89
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 94 લાગતું જ નથી. અરે, સાધુ કાળધર્મ પામે તોય સાથે રહેલા કે બીજે વિચરતા : કોઈ સાધુને સૂતક ન લાગે. માટે સાધુને સૂતક પાળવાનું ય નથી અને માનવાનું ય નથી. સૂતક માનનારા અને પાળનારાઓ જયારે સૂતકમાં દાન ન આપતા હોય ત્યારે તેવા રીવાજવાળા કુલોમાં સાધુએ ગોચરી જવાનું નથી. આ જ લોકવિરુદ્ધનો ત્યાગ કર્યો કહેવાય. આટલી શાસ્ત્રમર્યાદા સાધુએ પાળવાની છે. લોકવિરુદ્ધના ત્યાગને નામે સાધુને પણ સૂતક લગાડી દેનારા મુનિશ્રી અજ્ઞાન છે. અને એટલે જ એમને શ્રી “જયવીયરાય” સૂત્રની તાત્ત્વિક વિચારણા પણ ‘લાંબાલચ વિસ્તાર કરનારી લાગે છે. આમાં એય બિચારા શું કરે ? તેમની અજ્ઞાનતાનો દોષ છે. લેખકે વધુમાં પૃ. 11 ઉપર અશુદ્ધિના કારણે સૂતક પાળવાની વિચિત્ર વાત કરી છે. સૂતકમાં અશુદ્ધિ માતાને હોય છે એટલે માતાએ સ્પર્શેલા આહાર-પાણી ન કહ્યું- આ વાતમાં કોઈ વિવાદ જ નથી. બધાં આનું પાલન કરે છે. પરંતુ સૂતકના દિવસો હોવાથી તેના ઘરમાં માતાએ ન સ્પર્શેલી રસોઈ પણ અપવિત્ર ગણાય- આ માન્યતાને જૈનશાસ્ત્રોનો કોઇ ટેકો નથી. લૌકિકશાસ્ત્ર પણ એવી માન્યતા ધરાવતું નથી - એ વાત આપણે શ્રી જિનપૂજાના વિષયમાં જોઇ આવ્યા છીએ. શ્રી કલ્પસૂત્ર વગેરેમાં બારમે દિવસે નાત જમાડવામાં કારણ તરીકે તે પહેલા “રસોઈ અશુચિવાળી હોય છે” - તે નથી, પરંતુ માતાને સ્પર્શની મર્યાદા પૂર્ણ થતી હોવાથી નામકરણ વિધિ વખતે માતા હાજર રહી શકે - તે કારણ છે. શ્રી પ્રશમરતિ પ્રકરણ સટીક तस्माल्लोके यद्विरुद्धं जातमृतकसूतके समुहनिराकृतादिगृहेषु भिक्षादिग्रहणभोज्येषु च परिहार्य અર્થ : જન્મ મરણનાં સૂતક સમૂહથી દૂર કરાયેલ ઘરોમાં ભિક્ષા આદિનું ગ્રહણ તથા ભોજયનું ત્યાગ કરવું. કારણ કે તે લોકમાં વિરુદ્ધ છે. શ્રી વિંશતિવિંશિકા ગ્રંથ (શુન્નનીતિધર્મવિંશિT) अन्ने उ लोगधम्मा पहूया देसाइभेयओ हुंति / वारिज्ज सोयसूयगविसया आयारभेएण // 16 // અર્થ : દેશભેદે કરીને બીજા-બીજા લોકધર્મો ઘણા છે. તેમાં) આચારભેદે

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131