________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 96 કાળ માટેનાં - જે સૂતયુક્ત હોય છે (2) યાવત્કથિક - જે યાવજીવન માટે ત્યાગ કરેલા જે અંત્યજ આદિ. આવાં કુળોમાં સાધુઓ પ્રવેશે નહિ. કારણ કે જિનશાસનની હેલના થવાનો પ્રસંગ છે.” શ્રી પંચાશક પ્રકરણ પૃ. 219 सूतकादिभावेऽपि-जातमृतकप्रभूतिकदाननिषेधहेतुसद्भावेऽपि, आस्तां सूतकाद्यभावे, अविशेषस्य निविशेषस्य पाकारम्भस्ययावत सूतकाद्यभावे सूतकादावपि तावत एव उपलम्भो दर्शनमविशेषोपलंभस्तस्मात् / અર્થ : સૂતક આદિ હોતે છતે પણ એટલે ગૃહસ્થોને ત્યાં જન્મ-મરણ વગેરેમાં દાન દેવાનો નિષેધના હેતુનો સદ્ભાવ છે. છતાં પણ આરંભ થાય શ્રી અષ્ટક પ્રકરણ-અષ્ટક-૬, શ્લોક 8 ની ટીકા यतो गृहस्था अदित्सवोऽपि सूतककान्तारादिषु तथा भिक्षूणामभावेऽपि तथा रात्र्यादौ भिक्षानवसरेऽपि पाकं कुर्वन्ति / તાત્પર્યાર્થ : સ્પષ્ટ ફરમાવે છે કે સૂતક આદિ પ્રસંગોમાં દાન દેવાનો અવસર ન હોવા છતાં ગૃહસ્થો રસોઈ (આહાર) વધારે બનાવે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર પૃ. 173 दृश्यते च कदाचित्सूतकादाविव सर्वेभ्य एव प्रदानविकला शिष्टाभिमतानामपि पाकप्रवृतिरिति / અર્થ અને ક્યારેક સૂતક આદિમાં જેમ સર્વને આપવાની પ્રથા નથી - તેમ બધાને આપવાની પ્રવૃત્તિથી વિકલ હોય તો પણ શિષ્ટસંમત એ પ્રવૃત્તિ દેખાય છે કે સહેજે જ વધારે રંધાય.” સૂતકવાદીઓ તરફથી અર્થસહિત રજૂ કરાતા શ્રી પ્રશમરતિપ્રકરણ સટીક, શ્રી વિશતિવિશિકા, શ્રી સૂયગડાંગ સૂત્ર - ટીકા, શ્રી આચારાંગ સૂત્રટીકા, શ્રી દશવૈકાલિક ચૂર્ણિ - ટીકા, શ્રી અષ્ટકપ્રકરણ-ટીકા : આ બધા ગ્રન્થોના પાઠોથી “શ્રાવકોથી સૂતકમાં સુપાત્રદાન ન થાય' એવું સિદ્ધ થતું નથી. કારણ કે સૂતક કુલોનું વર્જન લૌકિક કુલોના વર્જનના ભેદમાં છે. એટલે અગાઉ જોઈ ગયા તેમ “મૃતિ' આદિને માનનારાઓ ‘સૂતકમાં દાન