SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 96 કાળ માટેનાં - જે સૂતયુક્ત હોય છે (2) યાવત્કથિક - જે યાવજીવન માટે ત્યાગ કરેલા જે અંત્યજ આદિ. આવાં કુળોમાં સાધુઓ પ્રવેશે નહિ. કારણ કે જિનશાસનની હેલના થવાનો પ્રસંગ છે.” શ્રી પંચાશક પ્રકરણ પૃ. 219 सूतकादिभावेऽपि-जातमृतकप्रभूतिकदाननिषेधहेतुसद्भावेऽपि, आस्तां सूतकाद्यभावे, अविशेषस्य निविशेषस्य पाकारम्भस्ययावत सूतकाद्यभावे सूतकादावपि तावत एव उपलम्भो दर्शनमविशेषोपलंभस्तस्मात् / અર્થ : સૂતક આદિ હોતે છતે પણ એટલે ગૃહસ્થોને ત્યાં જન્મ-મરણ વગેરેમાં દાન દેવાનો નિષેધના હેતુનો સદ્ભાવ છે. છતાં પણ આરંભ થાય શ્રી અષ્ટક પ્રકરણ-અષ્ટક-૬, શ્લોક 8 ની ટીકા यतो गृहस्था अदित्सवोऽपि सूतककान्तारादिषु तथा भिक्षूणामभावेऽपि तथा रात्र्यादौ भिक्षानवसरेऽपि पाकं कुर्वन्ति / તાત્પર્યાર્થ : સ્પષ્ટ ફરમાવે છે કે સૂતક આદિ પ્રસંગોમાં દાન દેવાનો અવસર ન હોવા છતાં ગૃહસ્થો રસોઈ (આહાર) વધારે બનાવે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર પૃ. 173 दृश्यते च कदाचित्सूतकादाविव सर्वेभ्य एव प्रदानविकला शिष्टाभिमतानामपि पाकप्रवृतिरिति / અર્થ અને ક્યારેક સૂતક આદિમાં જેમ સર્વને આપવાની પ્રથા નથી - તેમ બધાને આપવાની પ્રવૃત્તિથી વિકલ હોય તો પણ શિષ્ટસંમત એ પ્રવૃત્તિ દેખાય છે કે સહેજે જ વધારે રંધાય.” સૂતકવાદીઓ તરફથી અર્થસહિત રજૂ કરાતા શ્રી પ્રશમરતિપ્રકરણ સટીક, શ્રી વિશતિવિશિકા, શ્રી સૂયગડાંગ સૂત્ર - ટીકા, શ્રી આચારાંગ સૂત્રટીકા, શ્રી દશવૈકાલિક ચૂર્ણિ - ટીકા, શ્રી અષ્ટકપ્રકરણ-ટીકા : આ બધા ગ્રન્થોના પાઠોથી “શ્રાવકોથી સૂતકમાં સુપાત્રદાન ન થાય' એવું સિદ્ધ થતું નથી. કારણ કે સૂતક કુલોનું વર્જન લૌકિક કુલોના વર્જનના ભેદમાં છે. એટલે અગાઉ જોઈ ગયા તેમ “મૃતિ' આદિને માનનારાઓ ‘સૂતકમાં દાન
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy