Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj
Author(s): Vijayjaidarshansuri
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 63 તેઓશ્રીના નામે આવી વાત ફેલાવવામાં આવે તો અવશ્ય પાપ બંધાય. આના કરતા પણ એકદમ સ્પષ્ટ અભિપ્રાય પૂ. આત્મારામજી મ.નો જાણવો હોય તો લો વાંચો : સ્થાનકવાસી સંપ્રદાયના સ્વામી અમરસિંહજીએ પૂ. આત્મારામજી મ.ને સો પ્રશ્નો પૂછ્યા હતા. (પ્રાયઃ વિ. સં. ૧૯૩૮માં) તેના પૂ. આત્મારામજી મ.એ ઉત્તરો આપેલા હતા. તેમાં ૪૯મો પ્રશ્ન સૂતક સંબંધી છે. તેનો જવાબ આપતી વખતે પ્રચલિત માન્યતાને રજૂ કર્યા પછી પૂ. આત્મારામજી મ. એ ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે “નેર ૩સ (સૂતકવાળા) माणसकों ऐसा नियम होवे कि मैंने पूजा करा बिना तथा सामायिक करा बिना कोईभी वस्तु मुहमें पानी नही तो उस माणसकों सूतक वा पातक कुछ भी नही હૈ” (હું હિતશિક્ષા-પૃ. 204) આ લખાણથી નક્કી છે કે “નિયમવાળા માણસને પૂજા કરવામાં સૂતક કે પાતક કશું લાગતું નથી” એવું પૂ. આત્મારામજી મ.નું સ્પષ્ટ મંતવ્ય છે. લૌકિક ગ્રન્થોની વિચારણાના સમયે આપણે શ્રી શ્રાદ્ધવિધિના પાઠમાં જોઈ ગયા કે - “દરેક શ્રાવકે દરરોજ ત્રણવાર, બે વાર કે એકવાર શ્રી જિનપૂજા કરવી-એવો નિયમ લેવો જોઈએ” જેઓ છતી શક્તિએ શ્રી જિનપૂજન અને તેનો નિયમ નથી કરતાં એવા માણસો શાસ્ત્રકારોની આ આજ્ઞાનું પાલન કરતા નથી. શ્રી જિનપૂજન નિયમપૂર્વક કરવાનું કર્તવ્ય હોવાથી તેમાં સૂતક કે પાતક કશું લાગે નહિ. કોઈ શાસ્ત્રકારે સૂતકમાં પૂજા કરવાનો નિષેધ કર્યો નથી છતાં જેઓ સૂતકમાં પૂજા બંધ કરાવે છે, તેઓ ભયંકર પાપ બાંધે છે. શ્રી જિનપૂજનમાં અંતરાય કરનાર કેવું પાપ બાંધે? શ્રી આચારાંગ સૂત્ર - શીલાંકાચાર્ય ટીકા શ્રી કર્મગ્રન્થ પહેલો __ "पाणवहादीसु रतो जिणपूयामोक्ख-मग्गविग्घकरो। અન્નેરું અંતરીયે તહફ નેળિછિયે નામં / 2 / (શ્રી આચારાંગસૂત્ર ટીકા અધ્ય. 2, 3. 1) હિંસા વગેરેમાં રક્ત રહેનારો અને શ્રી જિનપૂજા તેમજ મોક્ષમાર્ગમાં વિગ્ન કરનારો અંતરાયકર્મ બાંધે છે અને એ કર્મના ઉદયથી ઇચ્છિત લાભ

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131