________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ છાપીને ભૂલ સુધારી લેવામાં આવી. એટલે નક્કી છે કે, પ્રસ્તાવના લખનાર સ્વ. સાગરજી મ.ને “સૂતકમાં શ્રી જિનપૂજા થાય તેવી તપાગચ્છની માન્યતા વિ.સં. 1979 સુધી તો માન્ય હતી જ. પછી ગમે તે કારણે તેમણે ખરતરચ્છની માન્યતાનો જોર-શોરથી પ્રચાર કરવા માંડ્યો. એટલું જ નહિ, તપાગચ્છની માન્યતા રજૂ કરનારા મહાપુરુષોની “નવામતી-નૂતનપંથી' વગેરે આળ ચઢાવી વગોવણી કરવા માંડી. જ્યારે સ્વ. સાગરજી મ. દ્વારા જ થયેલ આ સુધારાને બહાર મૂકવામાં આવ્યો ત્યારે તેના બચાવમાં એવી વાત ચાલુ કરી કે “એ સમયે સ્વ. સાગરજી મ. અને પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સુ.મ.ના સંબંધો બહુ સારા હતા તેથી વિ.સં. ૧૯૭૯ની સ્વ. સાગરજી મ. દ્વારા સંપાદન પામેલી સુબોધિકા ટીકાની પ્રતનું મુફ પૂ. રામચન્દ્ર સૂ.મ.ને સુધારવા આપેલું તેમાં તેમણે આ પંક્તિ ઉમેરી દીધી હતી.” આવી ગપગોળાભરી વાત ચગાવનારે પોતાના બીજા મહાવ્રતને યાદ રાખ્યું ન હતું. આવું જ કંઈ પણ થયું હોય તો તેનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં જોવા મળે. પણ તેવો કોઈ જ ઉલ્લેખ પ્રસ્તાવનામાં નથી. બીજી વાત એ છે કે આવું કંઈક બની ગયું હોય તો સ્વ. સાગરજી મ. તેની સામે લખ્યા વિના રહે નહિ. સ્વ. સાગરજી મ. અને પૂ. શ્રી રામચંદ્ર સૂ.મ. વચ્ચે જે જે બાબતોમાં મતભેદ પડ્યા તેની જાહેર ચર્ચા લેખિતમાં છપાયેલી.આજે પણ વિદ્યમાન છે તેમાં ક્યાંય “સુબોધિકા ટીકામાં ‘રયંતિ શેષ:' આવી પંક્તિ ઉમેરી દીધાની કોઈ જ વાત છપાઈ નથી. તેથી આ એક ચોખ્ખો મૃષાવાદ જ છે. સુબોધિકા ટીકાની ઉપર જણાવેલ પંક્તિ “પ્રક્ષેપિત છે તેવું સ્વ. સાગરજી મ. એ પોતાના કોઈ લખાણમાં જણાવેલ નથી. પરંતુ પાછળથી તેમના સાધુઓએ આ પંક્તિ સામે જે ઝુંબેશ ઉપાડી તે આજની નવી છે. તે હિલચાલ કેવી હતી તે જુઓ : શાસ્ત્રીય સૂતક વિચાર’ના પેજ 32-33 ઉપર લખ્યું છે કે ‘યુર્વ વરયંતિ શેષ:' એ પદ પ્રક્ષેપિત જ છે. એમ “એવકાર” પૂર્વક કહી શકાય તેમ છે. કારણ કે સં. ૧૯૭૮માં છપાયેલ “કલ્પ કિરણાવલી’ તથા સં. 1967