Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj
Author(s): Vijayjaidarshansuri
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 85
________________ 9ii સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ असणवत्थादियाणं गहणं, वसहिए वा विसेज्ज-पविसति, वायणादिसज्झायं कुज्जा तस्स आणादिया दोसा / / 638 / / અર્થ : જે સાધુ દુગંછિત કુળોમાં એટલે જન્મ-મરણ સૂતકાદિવાળાં કુળોમાંથી અશન, વસ્ત્રાદિ, વસતિ અને વાંચનાદિ ગ્રહણ કરે, કરતાંને રોકે નહિ, કરતાનું અનુમોદન કરે તેને જિનાજ્ઞાભંગાદિ દોષો લાગે. 'सूयगमयगकुलाइ इत्तरिया जे य होंति निज्जूढा / जे जत्थ जुंगिता खलु ते होंति य आवकहिया तु / / 636 / / इत्रियत्ति सुयगंमि णिज्जूढा-जे ठप्पाकया सलागपडियत्ति आवकहिगा।" અર્થ:- એટલે કે લૌકિકના પણ બે ભેદ- તેમાં ઇત્વરિય એટલે થોડા કાળ માટે દૂર કરેલા કે જે સૂતક-મૃતક કુળો છે. (સૂયા એટલે સૂતક = જન્મ મય| એટલે મરણ. જન્મ મરણાદિ સૂતક કુળો) અને જ્ઞાતિ આદિથી બહાર કરાયેલા છે તે દરેક યાવત્કથિક. જે દેશમાં જે જાતિકર્મ આદિએ કરીને દુગંછિતનિંદિત હોય, અભોજય હોય તે દરેક યાવત્કથિક સ્થાપના કુળો કહેવાય.' अयसो पवयणहाणी विप्परिणामो तहेव दुगंछा। लोइय ठवणकुलेसु गहणे आहारमादीणं / / 1615 / / / અર્થ :- ‘લૌકિક સ્થાપનાકુળોમાં આહારાદિ ગ્રહણ કરે છતે લોકો નિંદા કરે તે સ્વરૂપ અપયશ થાય, જિનપ્રવચનને હાનિ થાય, દીક્ષા-સમ્યક્ત્વ વગેરે ઉચ્ચપરિણામ ચાલ્યા જાય, જૈનોની દુગંછા થાય.” આ રીતે સૂતકવાદીઓ તરફથી રજુ કરાતા શ્રી “નિશીથસૂત્ર'ના આ પાઠમાં, “સ્થાપનાકુલોનાં સંક્ષેપથી બે પ્રકાર કહ્યા. લૌકકિ અને લોકોત્તર. લૌકિક સ્થાપનાકુલોમાં સૂતકકુલો અને જે દેશમાં જે દુગંછિત હોય તેને ગણાવાયા. લોકોત્તર સ્થાપના કુલોમાં વસતિ (ઉપાશ્રય) થી સંબંધિત સાત ઘર સુધીના ઘરો તેમજ સદાવ્રતાદિ, નવા શ્રાવક, જેને સમકિત પમાડ્યું હોય તે, વગેરેને ગણાવ્યા છે. આ લૌકિક અને લોકોત્તર સ્થાપના કુલોમાં સાધુ પહેલેથી પૂછ્યા વિના પ્રવેશ કરે તો શ્રી જિનાજ્ઞાભંગ (અનવસ્થા, મિથ્યાત્વ વિરાધના) આદિ ચાર પાપો લાગે' એમ ફરમાવ્યું છે. આજે ઉપાશ્રયથી સંલગ્ન સાત ઘરોમાં, નવા શ્રાવકને ત્યાં. સમકિત પમાડેલા ને ત્યાં વગેરે

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131