________________ 15 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ તેનો “જ્ઞાન” એવો અર્થ કરે છે. અહીં દરેક ટીકાકારોએ ‘ના૩ નો અર્થ દેવપૂજા' કર્યો હોવા છતાં સૂતકના નામે શ્રી જિનપૂજાને ઉડાવવા માટે દેવપૂજા' માટેનું ‘દ્રવ્ય એવો ખોટો અર્થ કરવામાં આવે છે. સ્થાનકવાસીઓના પગલે ચાલીને શ્રી જિનપૂજાને ઉડાવવામાં કોઈનું ય કલ્યાણ નથી. કદાગ્રહને પોષવા માટે આવું ભયંકર દુષ્કૃત્ય કરનારાઓનું બિચારાનું શું થશે? યાન = વપૂગા' એવો સ્પષ્ટ અર્થ ઉડાવી દેવા માટે “સૂતકમર્યાદાયે નમઃ” ના પૃ. 67 ઉપર શું લખે છે તે જુઓ : સિદ્ધાર્થ મહારાજા નવરા જ બેસી રહેતા હતા કે જેથી આખોય દિવસ પ્રતિમાની પૂજા કરતા હશે. શું કુળમર્યાદાનું કાર્ય કે ખાતા-પીતા નહિ હોય? કે જેથી સેંકડો, હજારો અને લાખો પ્રતિમાની પૂજા પોતે કરી અને કરાવી એમ કહો છો. અને કદાચ સમજો કે ભગવાન પ્રત્યેની અતિશય ભક્તિવશાત્ તેવું કરવા જાય તો પણ શું દસ દિવસમાં લાખો પ્રતિમાની પૂજા સંભવિત છે ખરી ? અને ક્ષત્રિયકુંડમાં એટલા બધા દેરાસરો, યા સેંકડો, હજારો લાખો પ્રતિમાજીનો પરિવાર હશે ખરો? આટલો વિચાર કરીએ તો ય જૂઠા ખોટા એવા નવા પાઠનો પ્રચાર થતો અટકે, કેમકે આ તો કોમન સેન્સનો વિષય છે.” આ બધી દલીલો જ કોમન સેન્સ વિનાની છે. અષ્ટોત્તરીસ્નાત્ર (બૃહત્ક્રાંતિસ્નાત્ર) વખતે 108 વાર ભગવાનની પૂજા થાય છે. એના માટે 108 પ્રતિમાની જરૂર પડતી નથી. એટલે “ક્ષત્રિયકુંડમાં લાખો પ્રતિમાજીનો પરિવાર હશે ખરો?” એવી ખોટી ચિંતા કરીને દૂબળા બનવાની જરૂર નથી. એ જ રીતે પોતે 108 વાર પૂજા કરતા હોય ત્યારે સાથે બીજા ૧૦૦માણસોને પણ પોતાની સાથે પૂજા કરાવે તો દસ હજારથી વધુવાર પૂજા થઈ જાય. કરવા-કરાવવાની વાત હોય ત્યારે લાખો તો શું કરોડોની સંખ્યા પણ આરામથી પૂરી થઈ જાય છે. વાહિયાત દલીલ કરનારા મુ. શ્રી અક્ષયચંદ્રસાગરજીના ગુરુ આ. હેમચંદ્રસાગરજી ગણતરીના દિવસોમાં 68 કરોડ નવકારનો જાપ કરાવે છે. મુ. શ્રી અક્ષયચંદ્રસાગરજી હવે તેમના ગુરુ માટે પણ દલીલ કરશે