________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 76 કે “શું તેઓ નવરા જ બેસી રહેતા હશે કે જેથી આખોય દિવસ લોકોને નવકાર ગણાવ્યા કરતા હશે. શું સાધુ-ક્રિયા નહિ કરતા હોય કે ખાતા-પીતા નહિ હોય? શું ગણતરીના દિવસોમાં 68 કરોડ નવકારનો જાપ શક્ય છે ?" આટલો ય વિચાર જો મુનિશ્રીએ કર્યો હોત તો શ્રી કલ્પસૂત્રની ટીકાના પાઠને જુઠો-ખોટો કે નવો કહેવાનું પાપ તેઓ બાંધત નહિ. ‘ના , તાપ ૩ગ, માપ ૩ગ’ આ ત્રણે પદોમાં “ચ” અવ્યય હોવાથી તેનો અર્થ જુદો જુદો જ કરાય; વિશેષણ-વિશેષ્યરૂપે ન કરાય. માટે જ ઉપરના બધા ટીકાકારોએ નાગ્નિ = નો સ્વતંત્ર અર્થ ‘દેવપૂજા” એવો જ કર્યો છે. નાગ = નો “દેવપૂજા સંબંધી દ્રવ્ય એવો અર્થ ખરતરગચ્છની માન્યતાવાળાઓએ કર્યો છે. આ રહ્યો તે પાઠ: 'खरतरगतच्छीय श्री लक्ष्मीवल्लभ उपाध्यायकृता कल्पद्रुमकलिकाटीका "तत सिद्धार्थो राजा दसदिवससत्कायां कुलमर्यादायां कृतायाम् एकं शतप्रमाणं, अन्यं सहस्त्रप्रमाणम्, तृतीयं लक्षप्रमाणं-यस्मिन्, शतद्रव्यं लगति, यस्मिन् सहस्त्रद्रव्यं लगति, यस्मिन् लक्षद्रव्यं लगति एतादृशोयागो देवपूजनं तन्निमित्तं દ્રવ્ય ધારતિ'' (પૃ. 74) ત્યાર પછી સિદ્ધાર્થ રાજા દસ દિવસ સંબંધી કુલમર્યાદાના સમયમાં સો પ્રમાણ, હજાર પ્રમાણ, લાખ પ્રમાણ એટલે કે જેમાં સો દ્રવ્યનો ખર્ચ થાય, જેમાં હજાર દ્રવ્યનો ખર્ચ થાય, જેમાં લાખ દ્રવ્યનો ખર્ચ થાય- એવા યાગ એટલે દેવપૂજન-તે નિમિત્તના દ્રવ્યને ધારણ કરે છે. દરેક ટીકાકારોએ “યાગ’નો અર્થ સ્પષ્ટ રીતે દેવપૂજા એવો કરેલો છે છતાં આ ખરતરગચ્છના ઉપાધ્યાયજીએ “સૂતકમાં પૂજા ન થાય તેવી ખરતરગચ્છની માન્યતાને પુષ્ટ કરવા માટે ઉપર મુજબ “દેવપૂજા સંબંધી દ્રવ્ય” એવો અર્થ કર્યો છે. “સૂતકમર્યાદાય નમ:' ના લેખકે ખરતરોનો આ મત સ્વીકારી લીધો હોવાથી તપાગચ્છવાળા કોઈથી પણ એમની વાત માની શકાય નહિ અને શ્રી જિનપૂજા છોડાય નહિ. શ્રી કલ્પસૂત્ર સુબોધિકા ટીકાનું પદ સુર્વનું કારયંતિ શેષ: આ પદથી સૂતકમાં જિનપૂજાનો પ્રતિબંધ લગાવવો આગમવિરુદ્ધ બની જાય છે તેથી