________________ 78 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સૂતકમાં જિનપૂજા થઈ હતી તે વાતનું સમર્થન કરે છે. આવા પવિત્ર આગમની સામે પડીને જેઓ સૂતકમાં જિનપૂજાનો કડક પ્રતિબંધ ઠોકી બેસાડવાની નાદાન ચેષ્ટા કરે છે તેઓ બિચારા કરુણાને પાત્ર છે. તેમનું વચન માન્ય રાખીને ચલાય નહિ. અણગાર પ્રતિક્રમણ સામાચારી, સૂતકવિચાર પટ પુષ્પવતી વિચાર તથા સૂતકવિચાર અણગાર પ્રતિક્રમણ સામાચારી” અને “પુષ્પવતી વિચાર તથા સૂતક વિચાર’ પુસ્તકમાં “સૂતકની સજ્ઝાય' છાપવામાં આવી છે. આ સજ્ઝાય અંચલગચ્છના સાધુની રચેલી છે. ત્રીસમી ગાથામાં એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. 'श्री अंचलगच्छे वांदु अणगार, श्री पुण्यसिंधु सूरीश्वर सार / / 30 / / અંચલગચ્છની માન્યતા પણ તપાગચ્છથી વિરુદ્ધ હોય તો મનાય નહિ. આ સજ્ઝાયમાં “સૂતકવિચાર પટ' તરીકે પ્રસિદ્ધ કરવામાં આવતી સૂતકમાન્યતાઓ જ ગૂંથવામાં આવી છે. “સૂતક વિચાર પટમાં લખ્યું છે તેમ આ સજ્ઝાયમાં પણ લખ્યું છે કે “તતો પુત્રેનન્મનો સાર, પુત્રી નનમેં વિવસ इग्यार, मृत्युघरनो सूतक दिन बार, ते घरे साधु न वहोरे आहार. ते घरनो जल अग्नि जाण, जिनपूजा नवि सूझे सुजाण, इम निशीथ चूर्णि माहे कह्यो तत्त्वार्थ 'ગુરુમુરઘથી dહ્યો.” હકીકતમાં શ્રી નીશીથ ચૂર્ણિમાં સૂતકકુલોમાં સાધુએ ગોચરી જવામાં કેવી મર્યાદા પાળવી તે બતાવ્યું છે. પણ “સૂતકની સજ્ઝાય કે સૂતક વિચાર પટ’માં જણાવ્યા મુજબ “સૂતકનાં ઘરનાં પાણી અને અગ્નિથી શ્રી જિનપૂજા ન થાય એવું શ્રી નિશીથચૂર્ણિમાં ક્યાંય લખ્યું નથી. છતાં શ્રી નિશીશચૂર્ણિનાં નામે આ પ્રચાર જોરશોરથી ચલાવવામાં આવે છે. આવા અસત્યપ્રચારને માનીને શ્રી જિનપૂજા બંધ કરાય નહિ. પૂ. રામચન્દ્ર સૂ. મ. માટે અસત્ય પ્રચાર કલ્પકિરણાવલીટીકા : પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મહારાજની બનાવેલી