________________ 7 . સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ અર્થ લેવો. કારણ કે તેઓને બીજા યજ્ઞનો સંભવ નથી. ભગવાનના માતાપિતા શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રાવક હતા-એવું શ્રી આચારાંગમાં લખ્યું છે. પર્વદિવસ વગેરેમાં આપવાના દાનોને અને મળેલા દ્રવ્યના વિભાગને અથવા માનેલા દ્રવ્યના અંશને પોતે આપતા અને સેવકો દ્વારા અપાવતા, સેંકડો, હજારો અને લાખો પ્રમાણના વધામણાને સ્વયં ગ્રહણ કરતા અને સેવકાદિ વડે ગ્રહણ કરાવતા વિહરે છે.” શ્રી કલ્પસૂત્રની સુબોધિકાટીકા સહિતની પ્રત વિ.સં. ૧૯૬૭ની સાલમાં ‘દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ગ્રન્થાંક-૭” તરીકે બહાર પડી હતી. તેમાં ‘ર્વત્ રયંતિ શેષ:' આટલું છાપવાનું રહી ગયું હતું. વિ.સં. ૧૯૭૯માં ‘દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ગ્રન્થાંક-૬૧” રૂપે ફરી બીજી આવૃત્તિ તરીકે આ પ્રત છપાઈ ત્યારે તેમાં પૂર્વનું યંતિ શેષ:' આ વાક્ય છાપવામાં આવ્યું. આ બન્ને આવૃત્તિમાં શ્રી આનંદસાગર સૂ.મ. એ પ્રસ્તાવના લખી છે. વિ.સં. ૧૯૬૭ની સાલમાં થઈ ગયેલ ભૂલને તેઓશ્રીએ વિ.સં. ૧૯૭૯ની સાલમાં સુધારી લીધી. સુબોધિકા ટીકાના આ પાઠમાં તો સ્પષ્ટ જણાવેલ છે કે સૂતકના દશ દિવસ દરમિયાન જ સિદ્ધાર્થ મહારાજાએ શ્રી અરિહંત ભગવાનની પ્રતિમાની પૂજા પોતે કરી અને બીજા પાસે કરાવી.' શ્રી કલ્પસૂત્ર જેવા મહાન આગમસૂત્રની ટીકામાં આવો સ્પષ્ટ ઉલ્લેખ છે, માટે સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવવાનો મત તદ્દન બોગસ છે, એ વાત સિદ્ધ થાય છે. નોંધપાત્ર ઘટના એ છે કે, સ્વ. સાગરજી મ.એ સુબોધિકાટીકાની વિ.સં. 1967 અને વિ.સં. ૧૯૭૯ની બન્ને આવૃત્તિમાં પ્રસ્તાવના લખી છે. સ્વ. સાગરજી મ. એ પોતાની પ્રસ્તાવનામાં પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. અને પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ.ની ટીકાના અંશોને તુલનાત્મક રીતે રજૂ કર્યા છે. પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. એ, પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ.ના વિધાનોનું ખંડન કર્યું તે સ્વ. સાગરજી મ.ને ગમ્યું ન હતું એવો અણસાર પણ તેઓશ્રીની પ્રસ્તાવનામાં દેખાય છે. તેમાં ક્યાંય “શ્રી સિદ્ધાર્થ મહારાજાએ સૂતકમાં શ્રીજિનપૂજા કરી” એવી સુબોધિકા ટીકાની વાતનું ખંડન કર્યું નથી. ઉપરથી આ વાત પહેલી આવૃત્તિમાં છાપવાની રહી ગયેલી તે બીજી આવૃત્તિમાં