________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 62 મકાનના માલિક)નાં ઘરે સાધુથી આહાર-પાણી વહોરવા ન જવાય, પણ એ શય્યાતર શ્રાવક શ્રી જિનપૂજા કરી શકે. સ્નાન કર્યા વિના પૂજા ન થાય પણ વહોરાવવાનો નિષેધ નથી. શુદ્ધ સામાચારી પ્રકાશ'ના રજૂ કરતા લખાણમાં ‘નૌ%િ પ્રસિદ્ધ સૂતાં પ્રમાણ મી યહાં વિત્ત નિરવ રેતા હું' એમ લખીને જે નવ શ્લોકો રજૂ કર્યા છે તે લૌકિક હોવાથી તેને “સિદ્ધાંત સ્વરૂપે છે” એમ મનાય નહિ. એટલે અમે એને સિદ્ધાંત તરીકે માનતા નથી. જો સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવનારાઓ લૌકિક માન્યતાને સિદ્ધાંત માનતા હોય તો તેઓ શ્રીજિનાજ્ઞાનો ભંગ કરવાનું અને શ્રી જિનાજ્ઞાને દૂષિત બનાવવાનું એમ બેય પાપ બાંધે છે. સામાચારી શતક શુદ્ધ સામાચારી પ્રકાશમાં કરેલ સૂતક સંબંધી લખાણ, ખરતરગચ્છના પં. શ્રી સકલચંદ્રગણીના શિષ્ય વાચકસમયસુંદરગણીએ રચેલ “શ્રી સમાચારી શતક' નામનાં ગ્રન્થમાંથી લીધું છે. આ ગ્રન્થનાં ૬૨મા પાને ‘તથા તૌકિસૂતમા પર્વ તથાદિ લૌકિક સૂતક પણ આ પ્રમાણે છે - એવી પંક્તિ મૂકીને ઉપર જણાવેલા નવ શ્લોકો લખ્યા છે. આ નવ શ્લોકોમાંના ત્રીજા શ્લોકમાં લખ્યું છે કે નિનામપેપૂગાયાં, પાત્રાનેન શુધ્ધતિ | લૌકિકોને શ્રી જિનેશ્વર ભગવંતની અભિષેક પૂજા (પક્ષાલપૂજા)ની ચિંતા કરવાનું કોઈ પ્રયોજન નથી. એ ચિંતા આપણા શાસ્ત્રકારો કરે છતાં લૌકિક માન્યતાના શ્લોકમાં ઉપર મુજબની પંક્તિ છે. એટલે એનો પરમાર્થ સમજાવો જોઈએ. લૌકિક માન્યતાના આ શ્લોકોનું અસલ સ્થાન શોધીને તપાસવામાં આવે તો રહસ્ય બહાર આવે ખરું ! પૂ. આત્મારામજી મ.નું મંતવ્ય ઢેઢક હિતશિક્ષા પૂ. આત્મારામજી મ.એ શ્રી “આચાર દિનકર' ગ્રન્થનો બાલાવબોધ શરૂ કરતા પહેલાં જ સ્પષ્ટતા કરી કે “આગમ-શાસ્ત્રોમાં ગૃહસ્થવ્યવહાર આદિનું વર્ણન આવે છે તે ચરિત્રાનુવાદરૂપ છે. પરંતુ વિધિવાદથી કર્યું છે - તેવું પોતાને લાગતું નથી.” એટલે નક્કી જ છે કે સૂતકમાં શ્રાવકોએ શ્રી જિનપૂજા બંધ કરવી - એવું મંતવ્ય પૂ. આત્મારામજી મ.નું નથી. છતાં