________________ 35 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ગણીનું છે. પ્રાચીન છે. 0 તેને આજની ભાષામાં ઢાળતી વખતે કૌંસમાં લખેલ લખાણ મૂળનું નથી. પણ ચોપડીછપાવનારા શ્રી મોહનલાલજી મહારાજના શ્રી બુદ્ધિસાગરજી મ. નું છે. ૦ઉપરનો એકાવનમાં પ્રશ્નોત્તર જોતા ખરતરગચ્છની માન્યતા આવી જાણવા મળે છે : 0 આગમ અને આગમની ટીકાઓના પાઠોમાં ક્યાંય જિનપ્રતિમાની પૂજા સૂતકમાં થાય કે નહિ તેની કોઈ જ વાત આવતી નથી. એ પાઠોમાં સાધુએ ગોચરી જતી વખતે સૂતકના ઘરોમાં કેવી વહોરવા સંબંધી મર્યાદા પાળવી તેની જ વાત લખી છે. ૦ખરતરગચ્છ ગોચરીના પાઠો ટાંકીને પોતાની મતિકલ્પના ચલાવી છે કે જો સૂતકના ઘરમાં સાધુ વહોરતા નથી. લોકો જમતા નથી માટે સૂતકવાળું ઘર અપવિત્ર છે. તેથી તેવા ઘરના પાણીથી જિનપ્રતિમાની અંગપૂજા કેવી રીતે થઈ શકે ? અગ્રપૂજા થઈ શકે. 0 આ મતિકલ્પનાનો તપાગચ્છ સ્વીકાર કર્યો નથી તે હીરપ્રશ્નના પ્રશ્નોત્તરમાં આગળ આપણે જોઈશું. 0 સૂતકવાળા ઘરેથી કારણ વિશેષે ઘી-ગોળ વગેરે ખરતરગચ્છના સાધુઓ વહોરે છે ૦જન્મસૂતકવાળા વાસ-કપૂર-નૈવેદ્ય વગેરે પૂજા કરે તેનો ખરતરગચ્છ નિષેધ કરતો નથી. 0 શ્રીકલ્પસૂત્રના પાઠમાં શ્રી સિદ્ધાર્થરાજાના અધિકારમાં ખરતરગચ્છ સર્વથા જિનપૂજાનો ઉચ્છેદ કરતા નથી પણ ફળ-નૈવેદ્ય-પુષ્પ-ગંધ આદિ અગ્રપૂજાની સંભાવના કહ્યું છે. અહીં ખાસ ધ્યાન આપવા જેવી એક વિગત છે. ઘણાં જૂનાં દેરાસરઉપાશ્રયોમાં પ્રાચીન પટો લગાવેલા જોવા મળે છે. તેનું હેડીંગ હોય છે : સૂતક વિચારપટ.” એના રચયિતા કોણ છે તેનું નામ તો ક્યાંય હોય જ નહિ. તેમાં સૂતક સમયે પાળવાના નિયમ તરીકે ઘણા બધા પ્રતિબંધો ઠોકી દીધા