________________ 46. સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પડે. જુઓ, પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું છે.” જો કે આવી દલીલ તદ્દન અણસમજના કારણે કરવામાં આવે છે આ પાઠનું આખું ભાષાંતર આપે તો પણ ઘણો ભ્રમ ટળી જાય પણ આ પાઠને આગળ કરનારા તેવું કરતા નથી. શ્રી “ઉપદેશપ્રાસાદ'નું ૩પપમું વ્યાખ્યાન ભાષાંતર રૂપે છપાયું છે તે પણ વાંચો તો સમજાશે કે આ પાઠને આગળ કરનારા ભેંસનું ગાય તળે અને ગાયનું ભેંસ તળ કરે છે. શ્રી ઉપદેશ પ્રાસાદમાં પ્રાયશ્ચિત્તના અધિકારમાં જે પ્રાયશ્ચિત્ત બતાવે છે તેમાં ઉપવાસ તો સમજાય તેમ છે પણ મૂલમંત્રનો જાપ કરવાનું કહે છે તે મૂલમંત્ર કયો? અને નિત્યકર્મની હાનિ કહે છે તે નિત્યકર્મ શું? આખા ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં આનું સમાધાન તમને જોવા નહિ મળે તો પછી આ પાઠનો મતલબ શું? હકીકત એવી છે કે ઉપદેશપ્રાસાદકારે આ આખો પાઠ શ્રી નિર્વાણકલિકા નામના પ્રતિષ્ઠા વિધિના ગ્રંથમાંથી ઉપાડ્યો છે. નિર્વાણકલિકા ગ્રંથના કર્તા પૂ. આ. શ્રી પાદલિપ્ત સૂ. મ. છે. તેઓશ્રીએ આખી પ્રતિષ્ઠાવિધિનું વર્ણન કર્યા બાદ પ્રતિષ્ઠાનું વિધાન કરાવનારને શું શું પાળવાનું છે અને ભૂલ થાય તો તેનું પ્રાયશ્ચિત્ત શું આવે તેની વાત કરતા આવો જ પાઠ લખ્યો છે. આ પાઠ મુજબ નિત્યકર્મ શું છે? અને મૂલમંત્ર ક્યો તેનું પણ સમાધાન એ ગ્રંથમાંથી જ મળે છે એ નિર્વાણકલિકા ગ્રંથનો પાઠ આવો છે : "सूतकशावाशौचयोः परकीययोर्न भोक्तव्यम् / भूक्त्वा वा अकामतः समुपोष्य मन्त्रसहस्रं जपेत् / कामतस्तूपवासत्रयं कृत्वा मूलमन्त्रसहस्रत्रयमावर्तयेत् / आत्मसम्बन्धिनोः सूतकशावाशौचयोः सूतकिजनसंस्पर्शं विधाय (विहाय) पृथक्पाकेन भोक्तव्यमन्यथा नित्यहानिर्भवति। अथ सूतके शावाशौचे च सुधर्मस्थेन क्रियानुष्ठानपरेण ज्ञानवता वृत्तवता च न नित्यक्षतिः कार्या / यदि च नित्यानुष्ठानं न भवति प्रमादात् सूतकिसंसृष्टासाधारणपाकभोजनं वा तदा स उपोष्य सहस्रं जपेत् / कामतस्त्रिगुणं तदेव। आह्निकदेवतार्चनादिलोपे मूलमन्त्रस्यायुतं जपेत् / समुपोष्य शतं वा जपेत् / इति प्रायश्चित्तविधिः // " પરકીય જન્મ-મરણસૂતકવાળાનું ભોજન ન કરવું. અથવા ઇચ્છા