________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ पाणीग्रहण करवाते हैं, पीछे संसारके यथा विभवसें भोगविलास करता है, पीछे साधुके जोग मिलें गृहस्थधर्म वा यतिधर्म अंगीकार करता है, धर्म पालके पीछे विधिसें प्राणत्याग करता है, इतना विधि गृहस्थ व्यवहारादिका श्रीआचारांग, विवाहप्रज्ञप्ति (भगवती), ज्ञाताधर्मकथा, दशाश्रुतस्कंधकेआठमे अध्ययनादिमें चरितानुवादरुप प्रतिपादन करा है, तीर्थंकर के जन्म हुवे तिनके मातापिता जे कि श्रावक थे, तिनोंने भी वह पूवोक्त विधि करा है. इसवास्ते मूल आगमोंमें चरितानुवादकरके गृहस्थ-व्यवहारका विधि सूचन करा है, परंतु विधिवादसे कथन करा हुआ हमको मालुम नहीं होता है।' આ લખાણ વાંચતા સ્પષ્ટ સમજાય છે કે, મૂળ આગમોમાં ગૃહસ્થવ્યવહારનું જે વર્ણન આવે છે તે ચરિત્ર-બનાવ જે સ્વરૂપે બન્યો તે જણાવવા માટે જ વર્ણવવામાં આવ્યું છે. પરંતુ વિધિવાદ સ્વરૂપે વર્ણન લખ્યું નથી. માટે કોઈએ પણ તેને વિધિ સમજી આચરવા માંડવાનું નથી. પૂ. આત્મારામજી મ.ની આવી સ્પષ્ટ પૂર્વભૂમિકાને છૂપાવીને કેવલ શ્રી “આચાર દિનકર'ના બાલાવબોધ રૂપે તેઓશ્રીએ લખેલી વાતને આગળ કરીને સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવવાનો પ્રચાર વર્ષોથી ચાલી રહ્યો છે. માટે શ્રી આચાર દિનકર'ના મૂળ અંશો અને શ્રી “તત્ત્વનિર્ણયપ્રાસાદના રજૂ કરવામાં આવતાં અંશોની સમાલોચના કરવા પૂર્વક અહીં આપણે જોઈએ શ્રી આચારદિનકર अत्र च शुचिकर्म स्वस्ववर्णानुसारेण व्यतीतदिनेषु कार्यं / 'ततश्च बालकपितृपितृव्यपितामहैरच्छिन्ने नाले गुरुज्योतिषिकश्च बहुभिर्वस्त्रभूषणवित्ता-दिभिः पूजनीयः / छिन्ने नाले सूतकं।' 'दक्षिणा सूतके नास्ति / ततो गुरुः स्वस्थानमागत्य जिनप्रतिमा स्थापितसूर्यं च विसर्जयेत् / मातापुत्रौ सूतकभयात्तत्र नानयेत् / ' 'यथा षष्ठे दिने सन्ध्यासमये गुरुः प्रसूतिगृहमागत्य षष्ठीपूजन-विधिमारभेत् / न सूतकं तत्र गण्यं / यत उक्तं- श्लोकः / ' 'स्वकुले तीर्थमध्ये च तथावश्ये बलादपि / षष्ठी पूजनकाले च गणयेन्नैव सूतकम् // 1 // 'ततस्तान् गोत्रजानाह्वाय सर्वेषां साङ्गोपागं स्नानं वस्त्रक्षालनं च समादिशेत्