________________ 45 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ નડતો નથી. આમ છતાં આજે આવા પ્રસંગોમાં બહુ ઉત્સાહથી પૂજાબંધી લાદવામાં આવે છે. ભોજનની બાબતમાં તો પ્રસૂતા સ્ત્રી જે રસોડાનું જમી હોય તે રસોડાનું તમે જમો તો પણ તમારાથી પૂજા ન થાય એટલે સુધીનું ચાલી પડ્યું છે. આ બધા માટે કોઈ શાસ્ત્રાધાર મળે છે ખરો? આવું પૂછવામાં આવે ત્યારે એક શાસ્ત્રપાઠ ધરવામાં આવે છે તેનો આખો અર્થ કર્યા વિના કહે છે કે જુઓ, આમાં સૂતકના ઘરનું ખવાય નહિ તેવું સ્પષ્ટ લખ્યું છે કે નહિ? પણ પૂજા ન થાય તેવુ ધીમા અવાજે પણ ન બોલે. કારણ કે આ પાઠમાં પૂજાનો નિષેધ લખવામાં આવ્યો નથી. હકીકતમાં આ આખો પાઠ ક્યા ગ્રંથનો છે? ક્યા સંદર્ભમાં લેવાયો છે ? એ પાઠ કયા ગ્રંથમાંથી ઉદ્ધત કરવામાં આવ્યો છે ? આ બધું તપાસીએ તો પોતાના કદાગ્રહને પોષવા માટે કેવી ખોટી રીતે શાસ્ત્રપાઠ ટાંકવામાં આવે છે તે બહાર પડી જાય. ચાલો, આપણે તેનું પણ અવલોકન કરીએ. પૂ. આ. શ્રી વિજય લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજાએ “ઉપદેશપ્રાસાદ નામનો ગ્રંથ રચ્યો છે. તેના 355 મા વ્યાખ્યાનમાં તેઓશ્રીએ પ્રાયશ્ચિત્ત વિધિ બતાવી છે. આ પાઠ નીચે મુજબ છે : "सूतकशावाशौचयोः परकीययोर्न भोक्तव्यं / भुक्तं वा अकामतः समुपोष्य मंत्रसहस्रं जपेत् / कामतस्तु उपवासत्रयं कृत्वा मूलमंत्रसहस्रत्रयमावर्तयेत् / सूतकशावाशौचयोरात्मसंबंधिनोः सूतकिजनसंस्पर्शं विहाय पृथक् पाकेन भोक्तव्यं, अन्यथा नित्यकर्महानिः / सूतके शावाशौचे च धर्मस्थेन क्रियारतेन ज्ञानवता व्रतवता च नित्यकर्महानिर्न कार्या / यदि च नित्यानुष्ठानं नास्ति, प्रमादात् सूतकीसंस्पृष्टः साधारणभोजनं च कृतं तदोपोष्य सहस्रं जपेत् / कामतस्तु त्रिगुणं तदेव / अह्निदेवार्चनादिलोपे मूलमन्त्रस्यायुतं जपेत्, समुपोष्य शतं वा जपेत् / / રૂત્યાદ્રિ પ્રાયશ્ચિત્તવિધિ સમર્થિ .. (શ્રી ઉપદેશપ્રાસાદ ભાગ-૪, પૃ. 179, વ્યાખ્યાન 355) આ પાઠને આગળ કરીને એવું કહેવામાં આવે છે કે “સૂતકના ઘરનું જો જમે તો નિત્ય આરાધના ન થાય. એટલે પૂજા-સામાયિક બધું જ મૂકી દેવું