________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ભગવંતોની આશાતના કરનારી બને છે. જે પૂ. હીર સૂ.મ. માને, જે પૂ. સેન સૂ.મ. માને એને જ એમની પાટે આવેલા પૂ.દેવ સૂ.મ. ન માને આવી તરંગીવાત તો કોણ સ્વીકારે ? - “સૂતકવાળાના ઘરના પાણીથી જિનપૂજા શુદ્ધ ન થાય તેવી વાત કોઈ શાસ્ત્રમાં નથી અને તપાગચ્છાધિપતિઓ પણ ચાર સદી પહેલા તેને સ્પષ્ટ રીતે નકારે છે. ખરતરગચ્છવાળા “જ્યાં સાધુ વહોરી ના શકે તેવા ઘરના પાણીથી પૂજા શુદ્ધ કેવી રીતે થાય ?' આવો પ્રશ્ન ઉઠાવીને પોતાનો મત વ્યક્ત કરે છે પણ તેઓને ક્યાંય શાસ્ત્રમાં આ વિધાન મળતું નથી. ગોચરીના વિધાનને અસંગતપણે પૂજાના માર્ગ સાથે જોડે છે જે કોઈ રીતે માન્ય કરી શકાય નહિ. દુ:ખની વાત છે કે આજે તપાગચ્છના શ્રમણ-શ્રાવકો આનો ઇતિહાસ-શાસ્ત્રપાઠની પૂરી જાંચ કર્યા વિના જ કડક પૂજા બંધી ઠોકી દે છે. આ વખતે જે શોધક હશે અને મધ્યસ્થ રહેશે તેના હાથમાં જ તત્ત્વ આવશે. ગોચરીની વાત આગળ જતા વિસ્તારથી વિચારશું. શ્રી હરિપ્રશ્નના પાઠ પરથી તે સમયે સત્તરમી સદીમાં તપાગચ્છમાં સૂતક સમયે જિનપૂજા માટેની શી મર્યાદા હતી તે સમજાય છે. હવે આ જ પ્રશ્ન પૂ. આ. ભ. શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ.ના પટ્ટધર સવાઈ હીરલા પૂ. આ. ભ. શ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજાને પણ પૂછવામાં આવેલો. પૂછનાર ફતેપુરના શ્રી સંઘ હતો. શ્રી હીરપ્રશ્નમાં ખરતરગચ્છની માન્યતાને રજુ કરીને પ્રશ્ન કરવામાં આવ્યો છે જ્યારે સેનપ્રશ્નમાં તો ખુલ્લ ખુલ્લા કોઈનો પણ મત જણાવ્યા વિના પ્રશ્ન પૂછાયો છે. વાંચો એ પ્રશ્ન : यथा - जन्मसूतके मरणसूतके च प्रतिमा पूज्यते न वा - इति प्रश्नोऽत्रोत्तरं ૩મત્રા િસ્ત્રીનરTનન્તરે પ્રતિમાપૂનનનિષધો જ્ઞાતો નાસ્તીતિ / 78 || (સનપ્રશ્ન - પૃ. 110) જન્મસૂતકમાં કે મરણસૂતકમાં પ્રતિમા પૂજાય કે નહિ? આ પ્રશ્ન છે. એનો ઉત્તર : જન્મ સૂતકમાં કે મરણસૂતકમાં સ્નાન કર્યા પછી પ્રતિમા પૂજનનો નિષેધ જાણ્યો નથી.' પૂ.આ. શ્રી સેનસૂરીશ્વરજી મહારાજાએ અહીંઆ સમાધાનમાં પોતાના