________________ 33 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ पूजाइ? सिद्धार्थ राजानइ अधिकारि पुष्प गंध धूप नैवेद्यादि अग्रपूजा संभावीयइं, जइ तेहनइ धरइ लोक न जिमइ, यति न विहरइ, ते घर अशुचि थाइ, तउ तीयइ घरनइ पाणीयइ श्री जिनप्रतिमानी अंगपूजा कहउ किम थाइ ? ढोवणा प्रमुख अग्रपूजा थाई, पुणि जिम जन्मनइ सूअइ गुल सोपारी नालेर प्रमुख तेहनइ घरइ ना लांहणां लोक लियाजि करइ, तिम ढोवणादि पूजा घटइ, हिवणाइ जन्मना घर थकी देहरइ घी नालेर सोपारी आखोत्रीथाल प्रमुख, जेहमांहि तेहना धरनउ पाणी न पडइ ते आणी ढोइयइ, यति पिण कारणविशेषई जन्म सूतकनइ घरना घी गुल, प्रमुख ल्यइ छइ, ते भणी जन्म सूतकनइ घरइ तेहनइ पाणी साथि पूजा करिवी निषिद्ध पूर्वाचार्यइ शास्त्रइ न्यायइ थापी प्ररुपी, ते प्रमाण करिवी, वास कपूर नैवेद्यादि पूजा निषिद्ध नथी. एवं गीतार्थनइ पूछीवउ // 8 // ભાષા : “સૂતકવાલા ઘરે સાધુને આહાર-પાણી વહોરવું ન કલ્પે, કારણ કે દશાશ્રુતસ્કંધ (કલ્પસૂત્ર)માં લખ્યું છે કે “બારમો દિવસ સંપ્રાપ્ત થયે, (સૂતક સંબંધી) અશુચિકર્મ નિવર્તન કર્યું છત” મતલબ કે બાર દિવસે અશુચિકર્મ નિવર્તિત કર્યા પછી પોતાના મિત્ર, જ્ઞાતિ આદિને જમાડ્યા, એટલે જન્મ દિવસથી બાર દિવસે ઘર પવિત્ર થાય, અગ્યાર દિવસ સુધી ઘર અપવિત્ર હોય છે. તો તે અપવિત્રતાવાળા ઘરના પાણીથી પ્રભુની પક્ષાલ પૂજા કેમ થઈ શકે ? તથા જન્મ સૂતકના ઘરે સાધુને આહાર નિમિત્તે જવાનું એ શાસ્ત્રનિષિદ્ધ છે, ત્યારે તે (સૂતકવાળા) ના ઘરે (તેના પાણી વગેરેથી) જિનપ્રતિમા કેમ પૂજાય ? એ જ બાબતે વ્યવહાર ભાષ્ય અને ટીકામાં લખ્યું છે કે “જન્મસૂતક એટલે જન્મ પછી દશ દિવસ પર્યન્ત અને મૃત સૂતક એટલે મૃત્યુ થયા પછી દશ દિવસ પર્યન્ત (ત ઘર, ત્યાજય કહેવાય) એમ જ આચારાંગમાં કહ્યું છે કે - તે માત્ર (સૂતકાદિથી) સન્નિરુદ્ધ રોકાયેલ છે. તેમ દશવૈકાલિક ટીકામાં લખ્યું છે કે “સૂતકાદિથી નિષિદ્ધ કુલોમાં સાધુ ગોચરી પાણીએ ન જાય' એવી જ રીતે નિશીથભાષ્ય (તથા) ચૂર્ણિમાં આહારાદિ નિમિત્તે જવાને અયોગ્ય ઘરોના વર્ણનમાં સૂતકવાળાનો ઘર પણ અયોગ્ય કહેલ છે. એવી રીતે સર્વમાન્ય પ્રાચીન ગ્રંથોના કથનથી સૂતકવાળાનો ઘર