________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 31 - કાંધ ન આપી હોય તેવા લોકાચારથી પાછા આવેલા માટે તેઓ કશો જવાબ આપતા નથી. - જેમણે કાંધ આપી છે તેમાં પણ ઘરના વ્યક્તિ માટે કોઈ ખુલાસો નથી. - ઘર સિવાયના બીજા કાંધ આપનારાઓ ત્રણ દિવસના (હીયા) સ્નાન પછી પૂજા કરી શકે. - આ ત્રણ દિવસમાં જો સામાયિક, પ્રતિક્રમણ, નવકારવાળી ગણવાનો રોજનો નિયમ હોય તો આ બધું મનમાં કરી શકે છે. - બાકી તો ત્રણ દિવસના સ્નાન બાદ એ બધાં કાર્યો ખુલ્લાં થાય. ત્રણ દિવસ સુધી કાંઈ ન કરી શકે. -ઘરે જો ઘર દેરાસર હોય તો સૂતક કાઢ્યા પછી ઘરનો માલિક પોતાના ઘરના પાણીથી પ્રક્ષાલપૂજા કરી શકે. મતલબ કે સૂતક ન કાઢે ત્યાં સુધી પોતાના ઘરના પાણીથી પૂજા ન કરી શકે. પણ ઘરધણી બીજાના ઘરના પાણીથી પૂજા કરી શકે કે નહિ તે જણાવતા નથી. -તો પછી એટલા દિવસ ઘરદેરાસરની પૂજાનું શું? તેનો રસ્તો બતાવતા કહે છે કે ઘરધણી સિવાયનો બીજો શ્રાવક બીજા ઘરના પાણીથી સ્નાન કરે, બીજા ઘરનું પાણી લાવી પ્રક્ષાલ પૂજા કરે અને બીજા ઘરના જ અગ્નિથી ધૂપપૂજા અને દીપપૂજા કરે. - આ બધો અમારા ગુરુના સંપ્રદાયથી આવેલો નિયમ છે. તેઓ કોઈ શાસ્ત્રનો હવાલો આપતા નથી. આ રીતે ઉપા. જયસોમ ગણી મરણસૂતકનો જવાબ આપતા જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ પૌષધનો પ્રતિબંધ સ્વીકારે છે. ફક્ત જેમણે નિયમ લીધો હોય તેમને સામાયિક, પ્રતિક્રમણ, નવકારવાળી ગણવાની છૂટ આપે છે પરંતુ “આદિ પરથી જિનપૂજાની નિયમવાળાને છૂટ મળે છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. પાછી આ છૂટ ઘર સિવાયનાને મળી છે. ઘરવાળા પરનો