________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 30 માન્યતા ધરાવે છે? શું તપાગચ્છની માન્યતા સૂતકમાં પૂજા કરવાની છે? શું ઉપાધ્યાયજી ખરતરગચ્છ પર કરવામાં આવેલા આરોપો નકારે છે ? આ બધા સવાલોના જવાબ માટે આપણે ઉપા. જયસોમ ગણીનું “પ્રશ્નોત્તર ચત્વારિંશત શતક'માં પૃ. 169 થી ૧૭૬માં જે લખ્યું છે તે જોઈએ. પ્રશ્ન - તથા બાંધીયા ગાશ્રી સીમાચિપોષદ પૂના પ્રમુરઘ (વંધ) રારિઘવીના भाव लिख्या ते तुम्हे अणजाण्यां लिख्या, बीजा कांधीयानइ लोकव्यवहारइ त्रेहीया स्नान कीधां पूठइ पूजा कीधी सुझइ, निश्चयबद्ध सदा सामायिक पडिकमणा नवकार गुणणा सर्व मनमांहि करइ त्रेहीया स्नान पछी सर्वथा ए मोकला थया, कांइ न करइ, तेह घरना देहरासर सूआ उतार्या पछी घरना धणी घरनइ पाणीयइ पखालइ पूजइ, अनेरा श्रावक बीजा घरनइ पाणीयइं पवित्र थइ बीजा घरनइ पाणीयइ करी पखाल पूजा करइ, बीजा घरनी अग्नि करी धूप दीप प्रमुख करइ, इम अम्हारा गुरुना संप्रदाय लिखित छइ, ख्याल (न) हवइ तउ गीतार्थ निरविरोध गुरु पूछीज्यो, जेहनइ आपणा गुरुनी प्रतीति थास्यइ ते मानीस्यइ।" ભાષા: “કાંધીયા આશ્રિત સામાયિક પોષહ પૂજા આદિ (બંધ) રાખવા બાબત જે લખ્યું તે તમોએ અજાણતે લખ્યું છે (ઘર સિવાયના) બીજા કાંધીયાઓને લોક વ્યવહારથી 2હીયા (ત્રણ દિવસના, નહીં કે ત્રણ સંખ્યાના) સ્નાન કર્યા પછી પૂજા કરવી સૂઝે નિશ્ચયબદ્ધ સદા (નિયમવાળાઓ) સામાયિક પડિક્કમણું નવકાર ગણવું આદિ સર્વ મનમાં કરે, ત્રેહીયા સ્નાન પછી એ બધા કાર્યો સર્વથા ખુલ્લા થાય, એટલે સુધી કાંઈ પણ ન કરે. તે ઘરના દેરાસર સૂતક કાઢ્યા પછી ઘરધણી (પોતાના) ઘરના પાણીથી પખાલે પૂજે, ઘરધણી સિવાય અન્ય ગૃહસ્થ બીજા ઘરના પાણીથી ન્હાઈ ધોઈ) પવિત્ર થઈને બીજા ઘરના પાણીથી પખાલ પૂજા કરે અને બીજા ઘરના જ અગ્નિથી ધૂપ, દીપ, પૂજા પ્રમુખ કરે. એમ અમારા ગુરુના સંપ્રદાયથી લિખિત (નિયમ) છે. ખ્યાલ (ન) હોય તો તે નિષ્પક્ષપાતી ગીતાર્થ ગુરુઓને પૂછજો. જેને પોતાના ગુરુની પ્રતીતિ હશે તે માનશે.” ઉપા. જયસોમ ગણીએ આપેલા આ જવાબમાંથી આવું તારણ નીકળે છે