________________
૨૭ ભવ. ]. શુરવીરને ધમ.
૧૮૭ કડવા અને દુઃખદ્ પ્રસંગને અનુભવ કરે પડે છે, તેથી એ રાજ્ય પ્રાપ્તિ સર્વથા સુખમય છે એમતો નથી જ. આતે લૌકિક દ્રવ્ય સ્વરાજ્ય છે. એવા સ્વરાજ્યને ચતુર્ગતિ રૂપ સંસારમાં ઝળાવનાર છે, એટલું જ નહિ પણ “રાજ્યના અને નરક એવી એક લૌકિક પણ માન્યતા છે. એ માન્યતામાં તત્વ રહેલું છે. તે સર્વથા મિથ્યા નથી. રાજ્યની મર્યાદા વધારવા, દેશ જીતવા, તેના માટે વિવિધ પ્રકારના વિગ્રહ ઉભા કરવા, એતે રાજાએનું કર્તવ્ય મનાય છે. વિગ્રહના પ્રસંગે થતી હિંસાના માટે રાજા જવાબદાર નથી, એવા મિથ્યા મતિઓના અભિપ્રાય ઉપર રાજાઓ મુસ્તાક રહે છે, અને વિનાકારણના વિગ્રહ ઉભા કરવામાં તેઓ પિતાનું કર્તવ્ય અને આનંદ માને છે. મૃગયા રમવી, શીકાર કરે એ તે રાજાઓને ધર્મ છે, અને તેના શીવાય શૂરાએનું શુરાતન ટકી શકે નહિં, એવી નિર્માલ્ય માન્યતા એટલી બધી વૃદ્ધિ પામી છે કે, બીચારા નીર્દોષ પશુ પક્ષિઓના પ્રાણ લેવામાં રાજાઓ, રાજકુમારે અને સૈનિકે પોતાની બહાદુરી માને છે. એ કિયામાં તેઓને કંઈ પાપ લાગતું નથી એવી જન્મથી જ તેમની ભૂલ ભરેલી માન્યતા હોય છે, દયા ધર્મ એ દેશને અધોગતિમાં લાવનાર છે, એવા ક્ષુદ્ર વિકલપ કરનારના ભૂતકાળના ઇતિહાસના અજ્ઞાનપણ ઉપર હસવું આવ્યા શીવાય રહેતું નથી, ખરેખરા શુરવીરમાંજ દયા પ્રધાન હોય છે. તેઓ નિરપરાધી જતુઓને મારવામાં પોતાનું પરાક્રમ-શુરાતન છે એમ માનતા જ નથી, નિરપરાધીઓનું રક્ષણ કરવું એ તે રાજાઓને ધર્મ છે. પરાક્રમવાનને તે જન્મથીજ એટલું બધું બલ પ્રાપ્ત થએલું હોય છે કે, તેમને તે ટકાવી રાખવાને આવા પ્રકારના મિથ્યા પ્રયોગો કરવાની જરૂર પડતી નથી. ન્યાયની રીતે રાજ્ય ચલાવતાં વિગ્રહને પ્રસંગ આવી પડે છે, તે વખતે તેઓ પોતાનું વીરત્વ બતાવી વિગ્રહમાં જય મેળવવાને વિજયી નિવડે છે. ભૂતકાળમાં એવા ઘણ બનાવે બનેલા છે; અને તે સર્વ ઈતિહાસ પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com