Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 340
________________ ૩૦૭ ૨૭ ભવ. ] પ્રભાસના સંદેહને ખુલાસે ઉપકાર થાય છે, અને મોક્ષ સાધકપણા માટે એવાં અનુષ્ઠાને સંબંધી કઈ વખત કંઈ કહેલું નથી માટે મોક્ષ છે જ નહી, એવું પ્રતીત થાય છે. તેમ વલી કહ્યું છે કે “ aft વિત કેતાં બે બ્રહ્મને જાણવાં, એક પર અને બીજું અપર, તેમાં પર એટલે સત્ય જ્ઞાન, અને અપર એવા શબ્દથી તે મોક્ષની પ્રતીતિ થાય છે. એવી રીતને તમારા મનમાં સંદેહ છે. કઈ વાત સત્ય માનવી? તે પદને અર્થ હું કહું છું તે પ્રમાણે કરો, કેમકે અહીં “ના” શબ્દને “#f” એ અર્થ છે, એટલે જે કઈ સ્વર્ગોદિકને અર્થિ હોય, તેણે જાવ છવ સુધી અગ્નિહોત્ર કરવું, અને નિર્વાણને અર્થિ હોય, તેણે અગ્નિહોત્ર છોડને નિવણ સાધનની પણ ક્રીયા કરવી પણ નિયમથી “અ ન્નકવો" એ શબ્દાર્થ કર નહીં; અને તેથી કરીને નિર્વાણ સાધક ક્રિયાને પણ વખત જણાવ્યું. વળી કમને ક્ષય તે મેક્ષ છે. વેદથી અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કર્મ છે એ વાત સિદ્ધ થાય છે. સમ્યક જ્ઞાન, દર્શન, અને ચારિત્રાર ધનથી કર્મને ક્ષય થાય છે. તેથી અતિશય જ્ઞાનવાળા પુરૂષને તે મોક્ષ પ્રત્યક્ષપણે જણાય છે. સમ્યક જ્ઞાન, અને સંયમ સંપૂર્ણ પ્રાપ્ત કરવા તેજ મેક્ષ સાધવાને ઉપાય છે. તે ઉપાય આ નરભવને વિષેજ સાધવા યોગ્ય છે, કારણ કે મનુષ્યગતિમાંજ તે સાધી શકાય છે, જે એ ધર્મશીલ એટલે ધર્મનું પ્રતિપાલન કરનાર પ્રધાન મુનિએ હેય છે, તેઓ નિ દુખ રહિત થાય છે. તેઓજ શીધ્રપણાથી પરમાર્થ તત્વને, એક ચિદ્રુપ એવા મોક્ષને, પ્રાપ્ત કરી શકે છે.” પ્રભુના આવા પ્રકારના ઉપદેશથી તેમના મનને સંશય નાશ પામે, અને પ્રતિબોધ પામી ત્રણ શિષે સહિત પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. આ પ્રભાસની આ વખતે સો વર્ષની વય હતી. તેમણે બાલ્યાવસ્થામાં જ ગૃહસ્થાવાસને ત્યાગ કરી સર્વ વીરતિ અંગીકાર કરી. પછી આઠ વર્ષ સુધી છવાસ્થપર્યાય પાળીને આવરણ રહિત અવ્યાબાધ કેવળજ્ઞાન પામ્યા. કેવળ અવસ્થામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388