________________
૨૭ ભવ. ]
અતિશ. (૧) ભગવાનના સમવસરણની ભૂમિ માત્ર એક યોજના વિસ્તારવાળી હોય છે, તે પણ તેટલી ભૂમિમાં કરેડ દેવતાઓ, મનુ અને તિર્યંને સમાવેશ થાય છે, અને પરસ્પર સંકોચ વિના અને બાધા રહિત સુખે બેસી શકે છે.
૨ ભગવંતની દેશના વાણુના પાંત્રીશ ગુણેથી યુકત હોય છે. તેની અર્ધમાગધી ભાષા, દેવતાઓ, મનુષ્ય અને તિર્યને પોત પોતાની ભાષામાં સમજાવાથી ધર્મને અવબોધ કરનારી થાય છે તથા તે વાણી એક એજનના સમવસરણમાં રહેલા સર્વ પ્રાણીઓને એક સરખી રીતે સાંભળવામાં આવે છે. જો કે ભગવંતતે એકજ ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ વર્ષાદના જળની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીના આશ્રયને પામીને તે તે જીની ભાષાપણે પરિણામ પામે છે. એટલે તે ભાષાને દેવતાઓ દૈવીભાષા માને છે, મનુષ્ય માનુષીભાષા માને છે, ભીલ લેકે પિતાની ભાષા માને છે, અને તિયએ પિતાની (પશુ પક્ષીની) ભાષા બેલાય છે, એમ માને છે.
સાત નયના સાતસે ભાંગાથી અને સપ્તભંગીની રચનાથી મિશ્રિત વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ શ્રતના પારગામી થાય છે.
૩ ભગવંતના મસ્તકની પાછળ બાર સૂર્યબિંબની કાતિથી પણ અધિક તેજસ્વી, અને મનુષ્યને મનહર લાગે તેવું ભામંડળ, એટલે કાંતિના સમૂહને ઉત પ્રસરેલ હોય છે. આ વિષે શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું છે કે, “ભગવંતનું રૂપ જોનારાને તેનું અતિશય તેજસ્વીપણું હોવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે. તેમ ન થવા માટે તે સર્વ તેજને એકત્ર પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ રહે છે, જેથી ભગવંતનું રૂપ જેનારાએ સુખે ભગવંતની સામું જોઈ શકે.”
૪ દયાનાનિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે, તે તે સ્થળે સર્વ દિશાઓમાં પચીશ પચીશ એજન અને ઉંચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com