Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 367
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૯ નીચે સાડાબાર સાડાબાર એજન૧ એમ પાંચસે ગાઉ સુધીમાં પ્રથમ થયેલા નવરાદિક રોગે નાશ પામે છે, અને નવા રે ઉત્પન્ન થતા નથી. પ ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી પાંચસે ગાઉ સુધીમાં પ્રાણીઓને પૂર્વભવમાં બાંધેલાં અને જાતિથી ઉત્પન્ન થયેલાં (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી હેતાં નથી. ૬ ઉપર કહ્યા પ્રમાણેના પાંચસો ગાઉ સુધીમાં સાત પ્રકારની ઈતિઓ તથા ઘાસ વિ. નાશ કરનારા તીડે સુડા અને ઉંદર વિગેરે ઉત્પન્ન થતા નથી. ૭ ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી), દુષ્ટ દેવનાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ), અને અકાલ મૃત્યુ થતાં નથી. ૮ તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતું નથી, કે જેથી ધાન્ય માત્ર કેહવાઈ જાય. ૯ તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ-સર્વથા જળને અભાવ થત નથી, કે જેથી ધાન્યાદિકની ઉત્પત્તિજ ન થાય. ૧૦ તેટલા પ્રદેશમાં દુર્ભિક્ષ-દુકાળ પડતું નથી. ૧૧ પિતાના રાજ્યના લશ્કરને ભય ( હુલ્લડ વિગેરે) તથા પરચક એટલે બીજા રાજ્ય સાથે સંગ્રામાદિક થવાને ભય ઉત્પન્ન થતા નથી. દેવતાઓએ કરેલા ઓગણીશ અતિશયે નીચે પ્રમાણે હોય છે. ૧ પ્રભુ જે સ્થળે વિચરે ત્યાં આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક્ર ફરે ( આગળ ચાલે). ૨ આકાશમાં શ્વેત ચામરે બન્ને બાજુ ચાલે. ૩ આકાશમાં નિર્મળ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિંહાસન ચાલે. ૧. એક યોજનાના ચાર ગાઉ. એટલે ચાર ગાઉને એક જન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388