________________
ર૭ નવ ] પસિહનું વર્ણન.
૧૯૩ કરે તે યુકત નથી. એમ ચિંતવી ક્રોધ ન કરે અને સમ્યક્ રીતે આક્રોશ સહન કરે, તેને આક્રોશ પરિસહ કહે છે.
૧૩ વધ પરિસહ-કઈ દુષ્ટાત્મા સાધુને ઢીંકા, પાટુ, ચાબુક કશાદિકના પ્રહાર કરે, અથવા વધ કરે, તે પણ તેના ઉપર મનમાં લગીર પણ રોષ લાવે નહી. પરંતુ અકલુષિત ચિત્તરાખે અને વિચાર કરે કે આ મહારૂં શરીર તો પગલરૂપ છે; એ તે અવશ્ય નાશ થવાના સવભાવવાળું છે; અને મહારે આત્મા તે એ થકી જુદે જ છે, કારણ કે જીવને તે કઈ વધ કરી શકે જ નહીં, મહારે આત્મા અમર છે. આ શરીરના સંબંધથી મને જે દુઃખ થાય છે, તે તે મહારાં કરેલાં અશુભ કર્મ ઉદય આવ્યાં છે, તેનું એ ફલ છે. એવી બુદ્ધિથી પિતે સમભાવમાં રહે, અને ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય ગણે તેને વધુ પરિસહ કહે છે.
૧૪ યાચના પરિસહ–ચતિએ સંયમના નિર્વાહને અર્થે વસ પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય, પ્રમુખ કેઈ પણ ચીજ અર્થાત એક સલી કે તૃણખલા જેવી ચીજ પણ માગ્યા સીવાય લેવી નહી. પિતાના શરીર શોભાના માટે તે યાચના કરવાનીજ નથી, પણ પ્રજન પડે લજજા છાંવને યાચના કરે. યાચના કરતી વખતે એવી વિચારણાં કરે નહી કે, રાંધેલા ધાન્યને અર્થે અથવા નજીવી ચીજને માટે, કોઈ માણસને ઘેર જઈ યાચના કરવી, તે કરતાં તે ગૃહસ્થાવાસમાં રહેવું જ સારૂ કે જ્યાં આપણું પરાક્રમથી કમાણી કરી, અનાદિકનું દીનહીનાદિકને દાન કરી પછી જમીએ; એવી વિચારણા કરી ગૃહસ્થપણાને ઈરછે નહિં. યાચના કરતાં કંઈ નહી આપે તે ? અથવા ગૃહસ્થને ઘેર જઈ યાચના કરી મહારું વજન ગુમાવી હું શી રીતે યાચના કરૂં? ઈત્યાદિક ચિંતવન નહિ કરતાં યાચના કરવી, ભિક્ષા માગવી, તેને યાચના પરિસહ કહે છે.
૧૫ અલાભ પરિસહ-વતિને કઈ વસ્તુની ઈચ્છા છે, અને ગૃહસ્થના ઘરમાં તે વસ્તુ ઘણી છેઃ સાધુ માગવા ગયા
25
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com