________________
૨૫૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ આ વખતે રાણી મૃગાવતીની વિજ્યા નામની દાસી ત્યાં આવેલી હતી. તેણે આ દંપતીની વાત સાંભળી તે પોતાની સ્વામિનીને કહી, રાણને તેથી ઘણે ખેદ થયે; અને પિતાની નગરીમાં ચાર ચાર માસથી પ્રભુ ભિક્ષા લીધા વિના પાછા જાય છે, તેથી તેમને અભિગ્રહ શું હશે તે જાણવા માટે તેને ચિંતાની સાથે જીજ્ઞાસા ઉત્પન થઈ. રાણાને શેકાતુર અવસ્થામાં જઈ શતાનીક રાજા સંભ્રમ પામી તેના ખેદનું કારણ પુછયું.
મૃગાવતીએ જરા ભ્રકુટી ઉંચી કરી, અંતરના ખેદ અને ક્ષોભના ઉદ્ગારથી વ્યાસ એવી વાણુએ ઉત્તર આપતાં જણાવ્યું કે, “ રાજાઓ તો આ ચરાચર જગતને પિતાના બાતમી દારાથી જાણી શકે છે, અને આપ તે આપના એક શહેરને પણ જાણુ શકતા નથી, તે તેમની પાસે શી વાત કરવી? રાજ્યના સુખમાં પ્રમાદી થએલા હે નાથ! ત્રણ લેકને પૂજિત ચરમ તીર્થકર શ્રી વીર ભગવંત આ શહેરમાં વસે છે. તેઓ કાંઈ અભિગ્રહને લીધે ઘેર ઘેર ફરે છે, પણ ભિક્ષા લીધા વગર પાછા ચાલ્યા જાય છે. એ આપ જાણે છે? આપને અને આપના અમાત્યને ધિક્કાર છે, કે જ્યાં શ્રી વીર પ્રભુ અજ્ઞાત અભિગ્રહે આટલા બધા દિવસ સુધી ભિક્ષા વગર રહયા છે.”
રાજાએ કહ્યું, “હે શુભાશ! હે ધમ ચતુરે! તમને શાબાશ છે. મારા જેવા પ્રમાદીને તમે બહુ સારી શિખામણ એગ્ય સ્થાને આપી છે. હવે પ્રભુને અભિગ્રહ જાણું લઈને હું પ્રાત કાળે તેમને પારણું કરાવીશ.” પછી રાજાએ તૂત મંત્રિને લાવ્યા, અને કહયું કે, “હે મંત્રી ! આ નગરીમાં શ્રી વીર પ્રભુ ચાર માસ થયાં ભિક્ષા વગર રહયા છે, તેથી આપણને ધિક્કાર છે. માટે તમારે ગમે તેમ કરી તેમને અભિગ્રહ જાણી લેવું કે જેથી હું તે અભિગ્રહ પૂરીને મારા આત્માને પવિત્ર બનાવું.”
મંત્રીએ જણાવ્યું હે મહારાજા તેમને અભિગ્રહ જાણી શકાય તેમ નથી, હું પણ તેથીજ ખેદ પામું છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com